સુરેશ આ ટૂર્નામેન્ટ શરુ થાય તે પહેલા જ સ્વદેશ પાછા આવી ગયા ત્યારથી જ ઘણા બધા ચાહકો નિરાશ હતા ત્યારે હવે ચેન્નઈ સુપર કિંગ્સે એવું પગલું ભર્યું છે જે બાદ રૈનાની ટીમમાં વાપસી થાય તેવી શક્યતા લાગતી નથી.
સોશ્યલ મીડિયા પર ઘણા બધા લોકોએ સુરેશ રૈના માટે કરી માંગણી
CSKએ પોતાની વેબસાઈટ પરથી સુરેશ રૈનાને હટાવ્યા
થોડા દિવસ પહેલા રૈનાએ CSKને ટ્વિટર પર કરી હતી અનફોલો
આ વર્ષે આઇપીએએલમાં ઘણા બધા ક્રિકેટરસિકો સુરેશ રૈનાને યાદ મિસ કરી રહ્યા છે. IPLના કિંગ કહેવાતા સુરેશ રૈના આ વર્ષે અંગત કારણોસર ટૂર્નામેન્ટમાં સામેલ થઇ શક્યા નથી અને ટૂર્નામેન્ટ શરુ થઇ તે પહેલા જ તેઓ સ્વદેશ પરત આવી ગયા.
રૈના પાછા આવ્યા ત્યારથી જ ઘણા બધા અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે ટીમમાં પાછા આવે તેવી સંભાવનાઓ છે. આટલું જ નહીં રૈનાએ પણ કહ્યું હતું તે ગમે તે સમયે વાપસી કરી શકે છે. જોકે હવે લાગી રહ્યું છે કે ટીમમાં તે વાપસી કરે તેની સંભાવના નહીવત લાગી રહી છે.
નોંધનીય છે કે ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની વેબ્સાઈટ પરથી સુરેશ રૈનાનું નામ હટાવી દીધું છે. ટીમ સેક્શનમાં જ્યાં બધા ખેલાડીઓની યાદી છે તેમાંથી સુરેશ રૈનાનું નામ કાઢી દેવામાં આવ્યું છે. જેના જોઇને લાગી રહ્યું છે કે હવે આ સિઝનમાં સુરેશ રૈના ટીમ વાપસી નહીં કરે. શુક્રવારથી જ સોશ્યલ મીડિયા પર લોકો માંગણી કરી રહ્યા છે કે સુરેશ રૈનાને ટીમમાં સામેલ કરવામાં આવે. પરંતુ હવે તે બધા ચાહકો નિરાશ થાય તેવા સમાચાર આવી રહ્યા છે.
આ પહેલા રૈનાએ CSKને ટ્વિટર પર અનફોલો કરી દીધી હતી અને મીડિયા અહેવાલો અનુસાર શનિવારથી જ સોશ્યલ મીડિયા પર તે ચેન્નઈ સુપર કિંગ્સને ફોલો કરવાનું બંધ કરી ચુક્યા છે.
રૈનાએ શનિવારે એક ટ્વિટ કર્યું જ્યાં તે વૈષ્ણોદેવીમાં દેખાઈ રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી તેઓ કાશ્મીરમાં ટ્રેનિંગ લેતા દેખાઈ રહ્યા છે અને કાશ્મીરમાં જ લાંબા સમયથી રહી રહ્યા છે.