સ્વિત્ઝરલેન્ડ: સ્વિસ બેંકે નિક્રીય ખાતાઓની યાદી જાહેર કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કારણ કે સ્વિસ બેંકમાં ભારતીયોના એવા 6 ખાતા છે જેમાં 300 કરોડ રૂપિયા જમા છે. પરંતુ આ રૂપિયાનો કોઇ જ દાવેદાર નથી.
સ્વિસ બેંકે એ પણ માહિતી આપી છે કે 6 ખાતેદારોમાંથી હાલમાં પણ 3 ખાતેદારો ભારતમાં છે. જ્યારે અન્ય ત્રણ લોકો વિદેશમાં સ્થાયી થઇ ગયા છે. સ્વિસ બેંક દ્વારા દર વર્ષે નિષ્ક્રીય ખાતેદારોની યાદી જાહેર કરવામાં આવે છે. સ્વિસ બેંકમાં ભારતીયોના કુલ રૂ. 7 હજાર કરોડ જમા છે.
આ વખતે જે યાદી જાહેર કરી તેમાં જર્મની ફ્રાંસ યુકે અમેરિકા સહિતના દેશના ખાતેદારોના નામ સામેલ છે. જો આ ખાતેદારો દાવો નહી કરે તો વર્ષ 2020 બાદ તેમના રૂપિયા જપ્ત કરી લેવામાં આવશે. એટલે ભારતના 300 કરોડ રૂપિયા ની અનામત કોની છે તે એક મોટો સવાલ છે.