EPFO એ કહ્યું હતું દેશમાં 80 હજાર કરોડ રૂપિયા જમા છે. જેનો કોઈ દાવેદાર નથી, અને આ રકમ ધીમે ધીમે વધી રહી છે. એ જ રીતે, બેંકમાં ઘણી ફિક્સ્ડ ડિપોઝિટ છે, જેના દાવેદારો નથી
Zerodha કંપની દ્વારા આલ્ટર ફીચર શરૂ કરાયું છે
ખાતું સક્રિય ન હોય તો તેની માહિતી નોમિનીને SMS કે ઇ-મેઇલ કરશે
દેશમમાં લગભગ 80 હજાર કરોડ રૂપિયાનો કોઈ દાવેદાર નથી
Zerodha દ્વારા આલ્ટર ફીચર શરૂ કરાયું છે
બ્રોકિંગ ફર્મ ઝીરોધાના કો-ફાઉન્ડર નિતિન કામતે આ સમસ્યાનો હલ બાતાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જીરોધા દ્વારા એક આલ્ટર ફીચર શરૂ કરવામાં આવ્યું છે, એકાઉન્ટ એક્ટિવ નહી રહેવા પર સૂચના આપશે. કામતે જણાવ્યું હતું કે, જલ્દીથી બેંક અને અન્ય ઓનલાઈન બ્રોકરેજ ફર્મપણ આ પ્રકારના અપનાશે.જેનાથી દાવા વગરની ધનરાશીનું સમાધાન કરી શકાય.
There's at least Rs 80,000 crores of unclaimed money across Banks, Mutual funds, Demats, & more.
We are hoping this alert feature which notifies nominees when accounts become dormant & they don't reKYC, can help in solving this problem.
ખાતું સક્રિય ન હોય તો તેની માહિતી નોમિનીને SMS કે ઇ-મેઇલ કરશે
ખરેખર, ઝેરોધાએ તેના ગ્રાહકોને એક વિશેષ સુવિધા આપી છે કે જેના હેઠળ ખાતાધારકો તેમના ખાતામાં નામાંકિત વ્યક્તિને ઓનલાઇન ઉમેરી અથવા બદલી શકે છે.એટલું જ નહીં, જો એક વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન ન થવાને કારણે ડીમેટ ખાતું સક્રિય ન થાય, તો તેની માહિતી નોમિનીને એસએમએસ અથવા ઇમેઇલ દ્વારા આપવામાં આવશે. નીતિન કામતનું કહેવું છે કે દાવો વગરની રકમ માટે દાવેદાર ન બનવાનું એક મોટું કારણ એ હોઈ શકે છે કે નોમિનીને આની જાણકારી નથી. એટલા માટે ઝેરોધાએ ચેતવણી સુવિધા શરૂ કરી છે, જેથી આવી સ્થિતિમાં તમામ ગ્રાહકોના નામાંકિત લોકો સુધી માહિતી પહોંચાડી શકાય.
દેશમમાં લગભગ 80 હજાર કરોડ રૂપિયાનો કોઈ દાવેદાર નથી
નોંધનીય છે કે દેશમાં EPFO સાથે લગભગ 26,497 કરોડ રૂપિયા, તમામ બેન્ક ખાતામાં રૂ. 18,381 કરોડ, મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 17,880 કરોડ અને વીમા કંપનીઓ પાસે 15,167 કરોડ રૂપિયા દાવો વગરના છે. પરિપક્વ ફિક્સ્ડ ડિપોઝિટમાં 4,820 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણો.