ગુજરાતમાં 26મી જાન્યુઆરીના દિવસે એક મોટો આતંકવાદી હૂમલો પ્લાન કરવામાં આવી રહ્યો હોવાની શંકા સેવાઈ રહી છે એટલું જ નહીં પરંતુ ગુજરાતના જ વડોદરામાંથી ISISનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઝફર અલી પકડાયો છે. તો પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના રેલવે સ્ટેશનને રેઢા મૂકી દેવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન ઉપર કોઈ ચેકિંગ કરવામાં નથી આવી રહ્યુ. એન્ટ્રી ગેટ ઉપર મૂકેલા મેટલ ડિટેક્ટર કામ જ નથી કરી રહ્યા.
વડોદરા રેલવે સ્ટેશન પર નથી પૂરતી સુરક્ષા વ્યવસ્થા
મુખ્ય ગેટ પર નથી લાગેલા મેટલ ડિટેક્ટર
પ્લેટફોર્મ પર રેલ્વે પોલીસ દ્વારા નથી કરાતું કોઇ ચેકિંગ
વડોદરામાં ISISનો આતંકી ઝફર અલી ઝડપાયો છે. જો કે આતંકી ઝડપાયા બાદ પણ હાલ તંત્રની બેદરકારી સામે આવી છે. હાલ વડોદરા રેલવે સ્ટેશન પર કોઇ સુરક્ષા વ્યવસ્થા નથી. મુખ્ય ગેટ પર કોઇ પણ પ્રકારના મેટલ ડિટેક્ટર લાગેલા નથી. અને પ્લેટ ફોર્મ પર પણ કોઇ પોલીસ દ્વારા ચેકિંગ નથી કરવામાં આવતું. વડોદરામાંથી આતંકી ઝફર અલી ઝડપાયા બાદ હાલ લોકોમાં ડર છે. જો કે તંત્ર દ્વારા રેલવે સ્ટેશન જેવી જગ્યા પર પણ સુરક્ષા વ્યવસ્થા ન વધારતા સવાલો ઉઠી રહ્યાં છે.
વડોદરામાં જ નહીં પણ સમગ્ર ગુજરાત રામ ભરોસે
વાત એકલા વડોદરા રેલવે સ્ટેશનની નથી પરંતુ સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ સુરક્ષાને લઈને કોઈ સજ્જડ પગલા નથી લેવાઈ રહ્યા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ હૂમલાને અમદાવાદ ભૂલી ગયુ છે. સિવિલ હોસ્પિટલ સહિત મોટી મોટી સરકારી હોસ્પિટલ અને કચેરીઓમાં કોઈ સુરક્ષા નથી. જેમાં RTO કચેરી સહિતની સરકારી હોસ્પિટલો, બસ સ્ટેશનો, રેલવેસ્ટેશનો રામ ભરોસે છે.