દિલ્હી સરકાર આગામી વર્ષથી સીબીએસઇ (CBSE)ની સરકારી સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓની ફી ભરશે. આ જાહેરાત શનિવારે મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલે (Arvind Kejriwal) એક કાર્યક્રમમાં કરી છે. આ કાર્યક્રમનું આયોજન બોર્ડ પરીક્ષામાં 12માં ધોરણમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે થયું હતું.
ડેપ્યૂટી. મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે, 'ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ સુધી પહોંચવાનો તમામ બાળકોને અધિકાર છે. સરકાર વિદ્યાર્થીઓની પરીક્ષાની ફીની ચૂકવણી કરશે. જલ્દી જ સરકાર નીટ (NEET) અને જેઇઇ (JEE) માટે વિદ્યાર્થીઓ માટે કોચિંગ વ્યવસ્થા પણ કરશે.
स्कूल के बाद की पढ़ाई के लिए दिल्ली सरकार ने स्कॉलर्शिप भी शुरू की है -
1 लाख से कम आय वाले परिवार के बच्चों के लिए 100% फ़ीस के बराबर
1 से 2.5 लाख आय वाले परिवार के बच्चों के लिए 50% फ़ीस के बराबर
2.5 से 6 लाख आय वाले परिवार के बच्चों के लिए 50% फ़ीस के बराबर pic.twitter.com/bDBi9K5ctA
એમણે કહ્યું કે, 80 ટકા કે તેથી વધારે માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ વધારીને 2500 રૂપિયા કરી દેવાઇ છે. અને પરિવારની આવકનો નિયમ પણ હટાવી દેવામાં આવ્યો છે. સરકારે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને સન્માનિત કરવા માટે ત્યાગરાજ સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમા લગભગ 1000 વિદ્યાર્થી અને તેમના પરિવાર હાજર હતા. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષક અને ટીચર પણ હાજર રહેશે.
દિલ્હીના ડેપ્યૂટી. મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે, '12મું પાસ કરનાર વિદ્યાર્થીઓને જો આગળ અભ્યાસ કરવા માટે લોનની જરૂર હોય તો દિલ્હી સરકાર તેમને 10 લાખ રૂપિયા સુધીની લોન આપશે. જે વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 15 વર્ષ સુધી આરામથી ચુકાવી શકે છે.
મનીષ સિસોદીયાએ ટ્વિટ કરીને કહ્યું, ''સ્કૂલ બાદ અભ્યાસ માટે દિલ્હી સરકારે સ્કોલરશિપ પણ શરૂ કરી છે. 1 લાખથી ઓછી આવક વાલા પરિવારના બાળકો માટે 100 ટકા ફી બરાબર, 1થી 2.5 લાખની આવક ધરાવતા પરિવારના બાળકો માટે 50 ટકા ફી બરાબર, અને 2.5 લાખથી 6 લાખની આવક ધરાવતા પરિવારના બાળકો માટે 50 ટકા ફી બરાબર.