રેલવે / રેલવેના મુસાફરો માટે આવ્યા મોટા સમાચાર, કોરોનાને કારણે હવે યાત્રીઓને નહીં મળે આ સુવિધા

No blankets in AC coaches even after covid-19 pandemic Indian Railways

રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે શનિવારે જણાવ્યું કે એસી કોચમાં મુસાફરી કરતા રેલવે મુસાફરોને કોવિડ-19 મહામારી પછી પણ તેમના બ્લેન્કેટ અને બેડશીટ સાથે મુસાફરી કરવી પડશે. યાદવે કહ્યું કે, અમે મુસાફરોને સિંગલ યુઝવાળી બેડશીટ્સ આપવાનું નક્કી કર્યું છે, અથવા મહામારી સમાપ્ત થયા પછી પણ મુસાફરો પોતાની બેડશીટ્સ અને બ્લેન્કેટ લાવી શકે છે. તેના માટે એક વિગતવાર નીતિ બનાવવામાં આવી છે અને નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ