યુનિવર્સિટીમાં એડમીશન માટે હવે ઈલેક્શન કાર્ડ ફરજીયાત છે. ગ્રેજ્યુએશનના 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો જાણો મહારાષ્ટ્ર કોલેજમાં એડમિશન 2023 માં થઈ રહેલ મોટો ફેરફાર.
વર્ષ 2023-24 માં લાગુ કરવામાં આવશે નવી એજ્યુંકેશન પોલીસી
શૈક્ષણિક સત્ર 2023-24 માં યુનિવર્સિટી એડમિશનમાં કેટલાક મોટા ફેરફાર કરી રહી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. તેમાંથી એક મતદાર કાર્ડ ફરજીયાત છે. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો તમારી પાસે મતદાર કાર્ડ હોવું આવશ્યક છે. આના વિના તમે મહારાષ્ટ્રની કોલેજમાં એડમિશન લઈ શકશો નહી. યુવાનોમં મતદાનની જાગૃતિ વધે તે હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
ચૂંટણી સાક્ષરતા ક્લબ બનાવવાની જાહેરાત કરાવામાં આવી
આ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીકાંત દેશપાંડેએ પણ મહારાષ્ટ્રની તમામ યુનિવર્સિટીઓને કોલેજોમાં ચૂંટણી સાક્ષરતા ક્લબ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી વિધાર્થીઓ ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો ભાગ બની શકે. નોધપાત્ર વાત એ છે કે હાલમાં રાજ્યમાં યુનિવર્સિટી અને કોલેજના 90 ટકા વિધાર્થીઓ મતદાર નોંધણી યાદીમાંથી બહાર છે.
કેન્દ્ર સરકાર દ્વારા નવી એજ્યુંકેશન પોલીસી લાગુ કરાઈ
યુવાનોને ચૂંટણીમાં મત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ચૂંટણી કાર્ડ ફરજીયાત બનાવવાનુ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 3 વર્ષનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી શૈક્ષણિક સત્રથી ડીગ્રી કોર્ષ ચાર વર્ષનો થશે. કેન્દ્ર સરકારને નવી નેશનલ એજ્યુકેશન પોલીસી લાગુ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં માર્ગદર્શિકા તૈયાર કરશે
કેન્દ્ર સરકાર દ્વારા 2020 માં લાવવામા આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 4 વર્ષના ગ્રેજ્યુએશન ડિગ્રી કોર્સની જોગવાઈ કરવામાં આવી છે. દર વર્ષે વિધાર્થીઓને એક્ઝિટનો વિકલ્પ આપવાનો પણ નિયમ છે. એક વર્ષ પૂર્ણ થવા પર પ્રમાણપત્ર, બીજા વર્ષે ડિપ્લોમાં..એ જ રીતે ચાર વર્ષ પૂર્ણ થવા પર ડિગ્રી આપવામાં આવશે. વિધાર્થીઓ કોઈપણ સમયે અભ્યાસક્રમ છોડી શકે છે અને કોઈપણ સમયે પાછા જોડાઈ શકે છે. મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં આ અંગે વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરશે.