કોરોનાની બે લહેરની સટીક ભવિષ્યવાણી કરનાર આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે ચોથી લહેરને લઈને એક મોટી વાત કરી છે.
ભારતમાં કોરોના કેસમાં મોટો ઉછાળો
કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાની શક્યતા
આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલનો દાવો
ભારતમાં આવી શકે કોરોના લહેર
ભારતમાં હાલમાં કોરોના કેસ વધી રહ્યાં છે અને આવી સ્થિતિમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા ઊભી થઈ છે ત્યારે અગાઉ બે લહેરની સચોટ આગાહી કરનાર આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે એક નવા અભ્યાસ બાદ દાવો કર્યો છે કે એ ખૂબ જ શક્ય છે કે ભારતે કોરોનાની ચોથી લહેરને જોવી ન પડે. તેમણે ભારતના મોટાભાગના લોકોના આ અભિપ્રાય પાછળના કારણો જેવા કે કોરોના સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ અને વાયરસના રૂપમાં કોઈ નવા મોટા ફેરફારની ગેરહાજરીનો હવાલો આપ્યો છે.
ગાણિતિક મોડલને આધારે કર્યો દાવો
આઈઆઈટી કાનપુરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે કોરોનાની ગતિને માપવા માટે એક ગાણિતિક મોડલ બનાવ્યું છે. તેને સૂત્રા નામ આપવામાં આવ્યું છે. તેની ગણતરીઓને કારણે પ્રા. અગ્રવાલે છેલ્લા બે વર્ષમાં કોરોનાને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી છે અને તે એકદમ સચોટ પણ સાબિત થયો છે. હવે તેમણે કોરોનાની ચોથી લહેર અંગે પોતાનું આકલન રજૂ કર્યું છે.
ભારતના 90 ટકાથી વધુ લોકોમાં કોરોના સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ
પ્રો. અગ્રવાલે તેમના સંશોધનને ટાંકીને જણાવ્યું છે કે ભારતના 90 ટકાથી વધુ લોકોમાં કોરોના સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વિકસી છે. બીજા શબ્દોમાં કહીએ તો, કોરોનાથી ચેપ લાગવાથી લોકોના શરીરની અંદર તેની સામે લડવાની ક્ષમતા ઉભી થઈ છે. ભારતમાં રસીકરણનું સ્તર પણ ઘણું સારું છે. મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આઈસીએમઆરના સર્વે દર્શાવે છે કે સરકારી રેકોર્ડમાં નોંધાયેલા કોરોનાના કેસોની સંખ્યા કરતા અનેકગણા વધુ લોકો સંક્રમિત છે. આ સંખ્યા 30 ગણી સુધી કહેવાય છે. વિશ્વના 36 મોટા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, જે લોકો કુદરતી રીતે વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી ચૂક્યા છે તેમના પર તેની ઘાતક અસર પડી રહી નથી.
નવો વેરિયન્ટ આવે તો ચોથી લહેર આવી શકે
કોરોનાની ચોથી લહેર આવવાની ઓછી શક્યતાઓ પાછળ પ્રો. અગ્રવાલે આ વાયરસમાં અત્યાર સુધી કોઈ નવો મોટો ફેરફાર ન થવાનું એક કારણ પણ દર્શાવ્યું છે. જે વેરિએન્ટ્સ સામે આવી રહ્યા છે તે ઓમિક્રોન વાયરસના ભાઈ-બહેન જેવા છે, જેમ કે બીએ.2, બીએ.2.9, બીએ.2.10 અને બીએ.2.12. દિલ્હી એનસીઆરમાં પણ કોઇ નવું મ્યુટેશન જોવા મળ્યું નથી જ્યારે દેશમાં સૌથી વધુ કેસ અહીં જોવા મળી રહ્યા છે. પ્રો. મનિન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર આનો અર્થ એ થયો કે ભારતમાં 90 ટકાથી વધુ લોકો ઓમિક્રોનથી સાજા થઇ ચૂક્યા છે. તેમની પાસે તેની રોગપ્રતિકારક શક્તિ હોય છે. આવી સ્થિતિમાં, ઓમિક્રોનને કારણે, કોરોનાની ચોથી લહેર આવવાની સંભાવના નથી. તેમનું કહેવું છે કે ચોથી લહેરની સંભાવના ત્યારે જ ઉભી થશે જ્યારે કોરોના વાયરસ નવા રૂપમાં બહાર આવશે.