તમિલનાડુ અને પુડુચેરીના સમુદ્ર તટે ટકરાયા બાદ નિવાર વાવઝોડુ કમજોર પડ્યું છે. જો કે નિવાર વાવાઝોડુ 100થી 110 કિમીની ઝડપેા કિનારે ટકરાયું હતું. જેને લઇને તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે તમિલનાડુમાં 1 લાખથી વદુ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યાં છે.
નિવાર વાવાઝોડું તટ પર ટકરાયા બાદ પડ્યું કમજોર
પુડ્ડુચેરી અને તમિલનાડુના દરિયા કિનારે ટકરાયું વાવાઝોડું
મધરાત્રીએ વાવાઝોડું 110 કિમીની ઝડપે ટકરાયું હતું
નિવાર વાવાઝોડું તટ પર ટકરાયા બાદ પડ્યું કમજોર
પુડુચેરી અને તમિલનાડુના દરિયા કિનારે મધરાત્રીએ 110 કિમીની ઝડપે ટકરાયું હતું. જેને લઇને ચેન્નઇ અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જો કે હાલમાં વાવાઝોડુ નબળુ થયા બાદ ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે.
પુડ્ડુચેરી-તમિલનાડુના તટે ટકરાયું
ગઇકાલે મધરાત્રે મધરાત્રે પુડુચેરી-તમિલનાડુના સમુદ્ર તટે નિવાર વાવાઝોડુ 110 કિમીની ઝડપે દરિયા કિનારે ટકરાયું હતું. વાવાઝોડુ હાલ ઉત્તર, પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.
Severe cyclonic storm Nivar expected to move Northwest wards & weaken into cyclonic storm in districts of South-interior Karnataka. Fishermen advised not to go to sea in South-coastal Andhra Pradesh & North-coastal Tamil Nadu. Chennai to have moderate rainfall till tomorrow: IMD pic.twitter.com/mWuHIm10cD
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડુ નબળુ પડી ગયુ છે, પરંતુ ચેન્નઇ સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. માછીમારોને હજુ પણ દરિયા કિનારે ન જવાની ચેતવણી આપી છે.
વાવાઝોડુ નિવારને ધ્યાનમાં લઇને તમિલનાડુ અને પુડુચેરીમાં ગુરુવારના રોજ સંયુક્ત સીએસઆઇઆર-યુજીસી નેટ 2020 પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વરિષ્ઠ નિદેશક ડો. સાધના પરાશર તરફથી જાહેર કરવામાં સુચના મુજબ પરીક્ષાની નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે.