નિરાવ વાવાઝોડું તામિલનાડુ રાજ્યને ટકરાવવા જઈ રહ્યું છે જેની તૈયારીરૂપે સરકારે મહત્વના આદેશ આપ્યા છે.
ચેન્નાઇ એરપોર્ટ ઉપર સાંજે 7 વાગ્યાથી 12 કલાક સુધી કોઈ ફ્લાઇટ નહીં ઉપડે તેવા અધિકારીઓએ આદેશ આપ્યા છે. નોંધનીય છે કે તામિલનાડુથી પસાર થવા જઈ રહેલું વાવાઝોડું તીવ્ર બનીને 'વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ'માં ફેરવાઈ ગયું છે. આ તોફાન આજે મોડી રાત્રે અથવા કાલે વહેલી સવારે ટકરાય તેવી શક્યતા છે.
#WATCH | Tamil Nadu: Visuals from Marina Beach in Chennai as strong winds hit the region, sea turns rough.
#CycloneNivar is likely to cross between Mamallapuram and Karaikal during midnight today and early hours of 26th November, as per IMD pic.twitter.com/yBqgARoirS
નિવાર વાવાઝોડા સાથે તામિલનાડુ અને પોંડીચેરીમાં ધોધમાર વરસાદ અને તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે. કાલના દિવસના રાજ્યના 13 જિલ્લાઓમાં જાહેર રજાનો દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
એવું માનવામાં આવે છે કે 145 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પવનો ફૂંકાઈ શકે છે. 2000 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ દિવસની બસ સર્વિસીસને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ મુદ્દે PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કેન્દ્રએ આ વિસ્તારોને બનતી તમામ સહાય કરી છે. આ ઉપરાંત રાજ્યમાં પાણીની આવક અચાનક વધી જવાથી પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે સરકાર તમામ પ્રયત્ન કરી રહી છે.
તામિલનાડુમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના 1200 જવાનોને ખડકી દેવામાં આવ્યા છે. આ તોફાનને લઇને ભારતીય નેવી પણ સ્ટેન્ડ બાય મોડમાં રાખવામાં આવી છે. એવી શક્યતાઓ છે કે આ તોફાનમાં સૌથી વધારે નુકશાન પાવર લાઇન્સ અને કોમ્યુનિકેશન નેટવર્કને પહોંચી શકે છે. આ ઉપરાંત ઘણા સ્થળોએ ઝાડ ઉખડી જાય તેવી સંભાવના છે.
નોંધનીય છે કે મે મહિનામાં દક્ષિણ બંગાળમાં આવેલા અમ્ફાન નામના વાવાઝોડાએ 98 લોકોનો ભોગ લીધો હતો અને મોટાપ્રમાણમાં જાનમાલની હાનિ પહોંચાડીને હજારો લોકો માટે વીજળી કાપી નાખી હતી.