ધર્મ-શાસ્ત્રોમાં પૂજા-પાઠને લઇને અમુક ખાસ નિયમ જણાવવામાં આવ્યાં છે. આ નિયમોનુ પાલન કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને જાતકને પૂજાનુ પૂરેપુરુ ફળ મળે છે.
પૂજા-પાઠમાં આ નિયમોનુ અવશ્ય ધ્યાન રાખો
નહીંતર પૂજાનુ પુરેપુરું ફળ મળશે નહીં
તમારી એક ભૂલ દેવી-દેવતાને નારાજ કરી શકે
પૂજા-પાઠમાં આ નિયમોનુ ધ્યાન રાખો
ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં દરેક દેવી-દેવતાની પૂજાના અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે. દરેક દેવી-દેવતાનો બીજ મંત્ર પ્રિય ભોગ, પ્રિય ફળ અલગ હોય છે. દરેક ભગવાનને પૂજામાં અલગ-અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. વિધિ મુજબ પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. તેથી પૂજા-પાઠમાં આ નિયમોનુ ધ્યાન રાખવુ જોઈએ. નહીંતર પૂજાનુ પુરેપૂરું ફળ મળતુ નથી. આ સિવાય પૂજામાં કરવામાં આવેલી ભૂલ દેવી-દેવતાને પણ નારાજ કરી શકે છે.
પૂજા-પાઠ કરવાના સાચા નિયમ
મંત્ર: હંમેશા મંત્ર જાપ યોગ્ય રીતે કરો. ખોટા મંત્ર ના વાંચશો. જે ભગવાનની આરાધના કરી રહ્યાં છે, તેમનો જ મંત્ર વાંચો. મંત્રજાપ કરતા પહેલા પવિત્રતાનુ ધ્યાન રાખો. એટલેકે સ્નાન કરીને, સ્વચ્છ કપડા પહેરીને, આસન પર બેસીને મંત્રોનો જાપ કરો.
દીવો: પૂજા કરતી સમયે ભગવાનને અગરબત્તી-ધૂપ કરો. પરંતુ ધ્યાન રાખો કે દીવો અથવા ધૂપને જમીનમાં ના રાખશો. પરંતુ તેને સ્ટેન્ડ પર અથવા કોઈ વાસણમાં રાખો.
દેવી-દેવતાની મૂર્તિ: દેવી-દેવતાની મૂર્તિ અથવા તસ્વીરને ક્યારેય પણ જમીનમાં ના રાખશો. આમ કરવાથી ભગવાન નારાજ થાય છે. તમારા જીવનમાં મુશ્કેલીઓ-દુ:ખોનો પહાડ તૂટી શકે છે. હંમેશા ભગવાનની મૂર્તિ અથવા તસ્વીરને ચોકી, થાળી અથવા કોઈ પણ ઊંચા સ્થાન પર સારી રીતે રાખો.
શંખ: શંખને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. શંખ વગાડવાથી ઘણા લાભ થાય છે. માનવામાં આવે છે કે શંખમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી દરરોજ શંખની પૂજા પણ કરવામાં આવે છે. શંખને ક્યારેય પણ જમીન પર ના રાખશો. આમ કરવુ તમને કંગાળ બનાવી શકે છે.