અમિત શાહે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને ભલે વધારે સીટો મળશે પરંતુ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે.
અમિત શાહનો મોટો ખુલાસો
બિહારમાં ભાજપ જ ચૂંટણી જીતશેઃ શાહ
નીતિશ કુમાર જ બનશે આગામી મુખ્યમંત્રીઃ શાહ
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ વચ્ચે આવેલી દરારની અટકળો ઉપર ગૃહમંત્રી અમિત શાહે પૂર્ણ વિરામ લગાવી દીધું છે. બિહાર ચૂંટણી ઉપર પ્રતિક્રિયા લગાવતા અમિત શાહે શનિવારે કહ્યું હતું કે, કેટલાક લોકો અફવાઓ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું આજે મોટો પૂર્ણ વિરામ લગાવવા માગું છું. નીતિશ કુમાર જ બિહારના આગામી મુખ્યમંત્રી હશે. શાહે કહ્યું કે દેશની સાથે બિહારમાં પણ મોદી લહેર છે. અને આના ગઠબંધ સહયોગીઓને સમાન રૂપથી મદદ મળશે. શાહે કહ્યું કે નીતિશ અમારા જૂના સાથી છે. ગઠબંધન તોડવાનું કોઈ જ કારણ નથી.
"Nitish Kumar will be next CM of Bihar, regardless of who wins more seats," @AmitShah tells me in his first extensive interview in over 4 months. #AmitShahToNews18 tonight at 9, across the News18 Network. pic.twitter.com/72DbaeR4N9
શાહે કહ્યું કે તેમણે વિવિધ પાર્ટીઓ પદાધિકારીઓના ફીડબેક લીધા, જે તાજેતરમાં બિહાર ગયા હતા. તેમણે જે શીખ્યું છે તે એ છે કે કોવિડ-19ના સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રીની યોજનાઓ દ્વારા પ્રદત્ત ખાદ્ધાન અને પેસાના હસ્તાંતરણથી બિહારના લોકોને ખૂબ જ મદદ મળી છે. જેનાથી તેમના મનમાં નવી છબી બની છે.
ગ્રામીણ અને શહેરી લોકો પાસેથી લીધા ફીડબેક
અમિત શાહે કહ્યું કે હું એવા લોકો પાસેથી પ્રતિક્રિયા લીધી છે જે પ્રદેશના ગ્રામીણ અને શહેરી બંને ભાગોમાં રહે છે. માર્ચથી છઠ પર્વ સુધી રાજ્યમાં વિતરિત ખાદ્યાન્નના કોઈ પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી. બિહારના લોકો ક્યારે ભૂલી નહીં શકે કે નીતિશ કુમારે કેવી રીતે પ્રવાસ માટે વ્યવસ્થા કરી હતી. તેમની યાત્રા માટે ચૂકવણું કર્યું, પ્રવાસી મજૂરો માટે પ્રતિ વ્યક્તિ 1,000 રૂપિયાની આર્થિક સહાયતા આપી.
NDA बिहार का चुनाव प्रधानमंत्री @narendramodi जी और मुख्यमंत्री @NitishKumar जी के नेतृत्व में लड़ रहा है।
NDA को दो तिहाई बहुमत मिलेगा और नीतीश कुमार जी फिर से एक बार मुख्यमंत्री बनेंगे।
मोदी जी और नीतीश जी का डबल इंजन बिहार में 15 सालों से हुए विकास को और आगे ले जाएगा। pic.twitter.com/3GyzaFFz7g
શાહની ટિપ્પણી એવા સમયે આવે જ્યારે કેન્દ્રમાં એનડીએની સાથી લોક જનશક્તિ પાર્ટી (LJP)એ બિહારમાં પોતાને અલગ કરી દીધી છે. એલજેપીએ જેડીયુ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં પોતાના ઉમેદવારો ઉતારવાની ઘોષણા પણ કરી દીધી છે.
પોતાની વાત ઉપર અડગ છે અમિત શાહ
જોકે, આ પહેલીવાર નથી જ્યારે અમિત શાહે નીતિશ કુમારના સમર્થન માટે નિવેદન આપ્યું હોય. આ પહેલા આ વર્ષે 1 જૂને રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં અમિત શાહે બિહાર વિધાનસભા ચૂંટણી ઉપર કહ્યું હતું કે એનડીએ તરફથી નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે.