ટુંક સમયમાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વખતે ભાજપા દિલ્હીની સત્તા મેળવવાના એડીચોટીનું જોર લગાવશે.
તેનુ કારણ છે કે લોકસભા ચૂંટણીમાં અહીં 70 વિધાનસભા બેઠક માંથી 65 પર ભાજપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરતા વધારે મત મેળવ્યા હતા. જોકે, હવે નીતિશ કુમાર ભાજપનો ખેલ બગાડી શકે છે.
જદયૂને કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે, તેમનું ગઠબંધન એનડીએ સાથે માત્ર બિહારમાં છે. હરિયાણા, દિલ્હી, જમ્મૂ કાશ્મીર સહિત અન્ય રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં તે ભાજપ વિરુદ્ધ પોતાન ઉમેદવાર ઉતારશે.
દિલ્હીના પ્રદેશ જદયૂ અધ્યક્ષ દયાનંદ રાયે કહ્યું કે, ''પટનામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે મને બોલાવી પૂછ્યુ કે, આપને દિલ્હીમાં કામ કરવામાં ક્યા મુશ્કેલી પડી રહી છે. જ્યા અમારા પ્રભારી સંજય જ્ઞા, આરસીપી સિંહ સહિત અન્ય લોકો હાજર હતા. મેં એમને તમામ બાબતે અવગત કર્યા. એક સપ્તાહ બાદ એનું પરિણામ એ આવ્યું કે એમણે ફોન પર ટીમ સાથે આવવા જણાવ્યું.''