નીતિશ કુમારે બુધવારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જો કે આ આંકડા બાદ તેમને રાજનીતિમાં સૌથી ઝડપથી બદલનારા નેતા કહેવામાં આવી રહ્યા છે.
નીતિશ કુમારે 8મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા
રેકોર્ડ સરકાર ઝડપથી પાડવાનો અને નવી સરકાર રચવાનો છે
તેમણે આ રેકોર્ડ 2017માં બનાવ્યો હતો 16 કલાકમાં નવી સરકાર
નીતિશ કુમારે બુધવારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જો કે આ આંકડા બાદ તેમને રાજનીતિમાં સૌથી ઝડપથી બદલનારા નેતા કહેવામાં આવી રહ્યા છે. નીતિશ કુમાર પોતાના 22 વર્ષના રાજકીય કરિયરમાં 8મી વખત સીએમ બન્યા છે. જોકે આટલી ઝડપ છતાં નીતિશ પોતાનો એક રેકોર્ડ તોડવાનું ચૂકી ગયા હતા, જે તેમણે 2017માં બનાવ્યો હતો.
બિહારની જનતાએ આ રમત ફરીવાર જોય
આ રેકોર્ડ તેમના દ્વારા ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે તેજસ્વી યાદવની પાર્ટી આરજેડીથી નીતિશનો મોહભંગ થયો હતો. બિહારની હાલની સ્થિતિ કોઈ નવી વાત નથી. બિહારની જનતા આ પહેલા પણ આ બધી રમત જોઈ ચૂકી છે. એ વખતે આરજેડીના સ્થાને ભાજપ અને ભાજપની જગ્યાએ આરજેડીને સ્થાન આપવામાં આવ્યું હતું. 2017નો સમય એ જ સમય હતો જ્યારે નીતિશ કુમાર મહાગઠબંધન સાથે સંબંધ તોડીને ભાજપ સાથે આવ્યા હતા.
શું છે નીતીશ કુમારનો રેકોર્ડ?
નીતીશના નામે એક રેકોર્ડ છે. તે રેકોર્ડ ઝડપથી પાડવાનો અને નવી સરકાર રચવાનો છે. વર્ષ 2017માં જ્યારે નીતિશ કુમારે મહાગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો અને રાજીનામું આપ્યાના માત્ર 16 કલાક બાદ જ તેમણે ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવી. તેમણે 26 જુલાઈએ સાંજે લગભગ 6 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને બીજા દિવસે એટલે કે 16 કલાક બાદ સીએમ પદના શપથ લીધા હતા.
માત્ર 6 કલાકના લીધે રેકોર્ડ રહી ગયો
તે સમયે તેજસ્વી યાદવે પણ આ ઉતાવળ પર ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે રાજ્યપાલે તેમને 11 વાગે નિમણૂક આપી હતી તો પછી અચાનક સવારે 10 વાગ્યે નીતિશ કુમારનો શપથ સમારોહ કેમ યોજાયો. જો કે આ વખતે નીતિશ કુમારને રાજીનામું આપતા અને ફરીથી સીએમ પદના શપથ લેવામાં કુલ 22 કલાકનો સમય લાગ્યો હતો. એટલે કે જો આ કાર્યક્રમ 6 કલાક પહેલા કરવામાં આવ્યો હોત તો તેણે પોતાનો 2017નો રેકોર્ડ તોડી નાખ્યો હોત.
સીએમ બનતા જ નીતિશ કુમારે કહી આ વાત
તમને જણાવી દઈએ કે નીતિશ કુમારે સીએમ પદના શપથ લીધા બાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપને લાગતું હતું કે વિપક્ષ ખતમ થઈ જશે. પરંતુ હવે અમે પણ વિરોધમાં છીએ. એટલું જ નહીં, નીતિશ કુમારે મોદીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું. નીતિશ કુમારે કહ્યું કે જે લોકો 2014માં આવવા વાળા, 2024માં રહેશે તોને, પછી તેમણે કહ્યું "અમે રહીએ કે ન રહીએ, તેઓ 2024 માં નહીં જ રહે.