જનતા દળ યૂનાઇટેડના અધ્યક્ષ નીતીશ કુમારે મોદી કેબિનેટમાં સામેલ ન થઇને દૂરનો દાવ ખેલ્યો છે. તેમનો આ દાવ આગામી વર્ષ બિહારમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં બહુ જ કામ આવી શકે છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે સ્પષ્ટ કહ્યું છે કે ભવિષ્યમાં પણ તેમની પાર્ટી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ નહીં થાય. એમ માનીને ચાલો કે વિધાનસભા ચૂંટણી સુધી તો આની કોઇ સંભાવના જ નથી.
જોકે તેમણે ભાજપ સાથે કોઇ પણ પ્રકારની નારાજગી હોવાની વાત ફગાવતા કહ્યું કે બિહારમાં અમે સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છીએ. અને 2020માં થનાર વિધાનસભા ચૂંટણી આની કોઇ અસર નહીં પડે. તેમણે કહ્યું કે બિહારમાં પણ ગઠબંધનની પહેલા પણ અને આજે પણ સરકાર ચાલી રહી છે. પહેલા જ તમામ કેટલાક ત્યાં સુધી કે મંત્રાલય પણ નક્કી થઇ જાય છે.
મોદી કેબિનેટમાં સાંકેતિક ભાગીદારીનો પ્રસ્તાવ નામંજૂર કરવા પાછળના કારણ બહુ જ વ્યાજબી છે. પહેલા તો આ એક મંત્રીના સાંકેતિક રીતે મંત્રિમંડળમાં સામેલ થવાનો મતલબ છે. પાર્ટીની અંદર મનભેદ થવો. બીજુ સૌથી મોટું કારણ છે કે ભાજપ ચૂંટણીમાં આ વખતે જે મુદ્દો લઇને ચાલી રહી છે, તેનો વિરોધ મંત્રીમંડળમાં સામેલ થઇને ન કરી શકાય.
BJP-JDU વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ
ભાજપ અને જેડીયૂ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ છે. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે જે વાયદા કર્યા છે તે કલમ 370 હોય કે 35એ હોય કે પછી સમાન આચાર સંહિતને લાગૂ કરવાની. અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ એ તો સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે મોદી સરકાર આ મુદ્દાઓને લઇને કેટલી ગંભીર છે. જ્યારે જેડીયૂ અને નીતીશકુમારે આ મુદ્દાઓને ટાળે છે. પાર્ટીએ ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન દરમિયાન એ સ્પષ્ટ કહી દીધું હતું કે આ મુદાઓ પર તે ભાજપની સાથે નથી.
ભાજપની પાસે હવે વર્ષ 2014થી પણ વધુ ભારે પ્રચંડ બહુમતી છે. એટલા માટે પાર્ટીની સામે આ મુદ્દાઓ પુરા કરવા માટે કોઇ ખાસ પ્રકારના પડકારો નહીં હોય. તેવામાં નીતીશ કુમારની સ્થિતિ ઘણી અસુવિધાજનક થઇ શકતી હતી. તે જાણે છે કે જો આ તમામ મુદ્દાઓનો વિરોધ કરવો મંત્રીમંડળમાં રહીને સંભવ નથી અને જો મંત્રીમંડળ બહાર આવવું પડે તો સ્થિતિ વધુ બગડી શકત. એટલા માટે તે સતત આ વાત પર જોર આપતા રહ્યા છે કે જેડીયૂ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી બહાર છે, પરંતુ તે એનડીએની સાથે છે. સરકાર બહાર રહીને આ મુદ્દાઓનો વિરોધ કરી શકાય છે.
સેક્યુલર છાપનું નુકસાન નથી ઇચ્છતી JDU
બિહારમાં જેડીયૂએ લોકસભા ચૂંટણી 2019માં જે બેઠકો જીતી છે, જેમાં 9 બેઠકો એવી છે જેના પર 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હાર મળી હતી. તે 9 બેઠકોમાંથી 8 બેઠકો જેડીયૂએ આ વખતે પોતાની જીત દાખલ કરી માત્રે એક બેઠક કિશનગંજ કોંગ્રેસના ખાતામાં ગઇ. જેમાંથી વધુ પડતી બેઠકો તે છે જ્યાં અલ્પસંખ્યકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. એટલા માટે જેડીયૂ નથી ઇચ્છતી કે તેમની સેક્યુલર છાપને નુકસાન પહોંચે. જો વિધાનસભા ચૂંટણીના સમયે મુદ્દાઓના આધારે ગઠબંધનનો ફેરફાર થયા છે તો તેમાં પણ કોઇ મુશ્કેલી ન સર્જાય.
ગુરૂવારે જેડીયૂના કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી હતી. જોકે, શપથગ્રહણ સમારોહ પહેલા નીતીશ કુમારે પાર્ટીના મંત્રીમંડળમાં ન સામેલ થવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મોદી નવા મંત્રાલયમાં સામેલ થવા માટે ભાજપની રજૂઆત પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ છે, જે જેડીયૂને સ્વીકાર નથી. તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં સૌની ઇચ્છા છે કે કેન્દ્ર સરકારમાં સાંકેતિક ભાગીદારી ન હોવી જોઇએ.