રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ દ્વારા થઈ રહી છે વાતચીત
પ્રશાંત કિશોર હાલમાં બિહારમાં જન સુરાજ યાત્રા પર છે
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અવનવા ચોંકાવનારા દાવા કરીને રાજનીતિમાં ભૂકંપ લાવવા માટે જાણીતા છે. પ્રશાંત કિશોરની હાલમાં બિહારના ખૂણેખૂણે જન સુરાજ યાત્રા ચાલી રહી છે અને યાત્રાની વચ્ચે તેમણે એક સનસનીખેજ દાવો કર્યો છે.
શું કહ્યું કે પ્રશાંત કિશોરે
પ્રશાંત કિશોરે કહ્યું કે સીએમ નીતિશ કુમાર ભાજપ સાથે સંપર્કમાં છે અને તેઓ ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે. તેમણે કહ્યું કે જેડીયુ સાંસદ અને રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ દ્વારા નીતિશે વાતચીતનું દ્વાર ખુલ્યું રાખ્યું છે. તેમણે કહ્યું કે
જે લોકો એવું વિચારી રહ્યા છે કે નીતિશ કુમાર ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રીય ગઠબંધન રચવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ જાણીને દંગ રહી જશે કે તેમણે ભાજપ સાથેનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. તેઓ પોતાની પાર્ટીના સાંસદ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશજીના માધ્યમથી ભાજપના સંપર્કમાં છે.
એટલે હરિવંશને રાજીનામું આપવાનું નથી કહેવાયું- પીકે
પ્રશાંત કિશોરે આગળ કહ્યું કે હરિવંશને આ જ કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું નથી, જ્યારે જેડી (યુ) એ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. "લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ આવી પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે તેઓ ભાજપમાં પાછા જઈ શકે છે અને તેની સાથે કામ કરી શકે છે.
જેડીયુએ પ્રશાંત કિશોરનો દાવો ફગાવ્યો
જેડી(યુ)ના પ્રવક્તા કે સી ત્યાગીએ કહ્યું કે નીતિશ કુમાર જાહેરમાં કહી ચૂક્યા છે કે તેઓ પોતાના જીવનમાં ફરી ક્યારેય ભાજપ સાથે હાથ નહીં મિલાવે. અમે પ્રશાંત કિશોરના દાવાનું ખંડન કરીએ છીએ. નીતિશ કુમાર 50 વર્ષથી વધુ સમયથી સક્રિય રાજકારણમાં છે જ્યારે પ્રશાંત કિશોર 6 મહિનાથી સક્રિય રાજકારણમાં છે. કિશોરે મૂંઝવણ ફેલાવવા માટે આવી ભ્રામક ટિપ્પણી કરી છે.