નીતિશ કુમારે પોતાની સરકારમાં ફરી એક વાર ડેપ્યુટી સીએમ બનેલા તેજસ્વી યાદવના 10 લાખ નોકરીના વચન પર ટિપ્પણી કરી છે.
બિહારમાં સતા પરિવર્તન બાદ નવી સરકાર આવી
નીતિશ કુમારે તેજસ્વી યાદવ સાથે મળીને મહાગઠબંધનવાળી સરકાર બનાવી
તેજસ્વીએ 2020માં વચન આપ્યું હતું 10 લાખ નોકરી આપવાની જાહેરાત કરી હતી
નીતિશ કુમારે પોતાની સરકારમાં ફરી એક વાર ડેપ્યુટી સીએમ બનેલા તેજસ્વી યાદવના 10 લાખ નોકરીના વચન પર ટિપ્પણી કરી છે. તેજસ્વી યાદવે 2020માં વિધાનસભા ચૂંટણી દરમિયાન આરજેડીના ઘોષણા પત્ર દ્વારા દાવો કર્યો હતો કે, તે સરકારમાં આવવા પર 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપશે. હવે નીતિશ કુમારની સરકારમાં તેમના ડેપ્યુટી સીએમ બન્યા બાદ તેજસ્વીના વચનને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ સંબંધમાં જ્યારે નીતિશ કુમાર પાસેથી શુક્રવારે સવાલ કરવામાં આવ્યો તો, તેમણે કહ્યું કે, તેજસ્વી યાદવ સાચા છે, અને અમે તેમનું વચન પુરુ કરવા માટે કામ કરીશું.
નીતિશ કુમારે કહ્યું કે, તેઓ સાચા છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને તેને પુરુ કરવાનું શક્ય તમામ કોશિશ કરીશું. તેમણે જે પણ કહ્યું છે, સાચુ કહ્યું છે. અમે તેના માટે તમામ પ્રયાસો કરીશું. આ મામલા પર આરજેડીનું કહેવુ છે કે, ફ્લોર ટેસ્ટમાં સરકાર પાસ થયા બાદ તેના પર નિર્ણય લેવામા આવશે. આ ઉપરાંત તેજસ્વી યાદવને ઝેડ પ્લસ સિક્યોરિટી મળવાના સવાલ પર તેમણે કહ્યું કે, તેઓ ડેપ્યુટી સીએમ છે અને તેમને તે મળવી જોઈએ.આ ઉપરાંત ખુદના પીએમ પદના વિપક્ષના ઉમેદવાર બનવાના સવાલ પર નીતિશ કુમારે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, હું આપને હાથ જોડીને કહું છું કે, મારો આવો કોઈ પ્લાન નથી.
આ તમામની વચ્ચે ભાજપે ફરી એક વાર 10 લાખ સરકારી નોકરીનું વચન યાદ અપાવ્યું છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ શુક્રવારે દિલ્હીમાં કહ્યું હતું કે, જેડીયુ,આરજેડી અને કોંગ્રેસની મહાગઠબંધનવાળી સરકાર બન્યા બાદ રાજ્યમાં ક્રાઈમ વધી ગયો છે. જંગલરાજની વાપસી થઈ છે. સંબિત પાત્રાએ કહ્યું કે, ગત 10 ઓગસ્ટે બિહારમાં એક પત્રકારની હત્યા થઈ ગઈ. 11 ઓગસ્ટ બીજા એક પત્રકારની હત્યા કરી દેવામાં આવી. બેતિયામાં એક પૂજારીનું ગળુ કાપી નાખ્યું. 11 ઓગસ્ટે પટનામાં એક કાર શોરુમમાં લૂંટની ઘટના થઈ. છપરામાં ઝેરી દારુ પીવાથી 6 લોકોના મોત થયા.