જેડીયૂના નેતા પ્રશાંત કિશોરે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં નાગરિકતા કાયદો (CAA) અને NRCના બહિષ્કાર કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેઓએ તેના માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો અને સાથે એકવાર ફરી આશ્વાસન આપ્યું છે કે, બિહારમાં એનપીઆર (NPA) લાગૂ નહીં થાય.
પ્રશાંત કિશોરે કોંગ્રેસ CWC બેઠકમાં CAA અને NRCના બહિષ્કાર કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું
જેડીયૂના નેતાએ વધુ એક વાર આશ્વાસન આપ્યું, બિહારમાં NPA લાગૂ નહીં થાય
નીતિશ કુમારે એનઆરસી લાગૂ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે
પ્રશાંત કિશોરે આ વાત ટ્વિટર પર લખી છે. જોકે, તેમની આ વાત એટલી પણ સામાન્ય નથી. નોંધનીય છે કે, ઉપમુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ કહ્યું હતું કે તેની સૂચના જારી થઇ ગઇ છે. પરંતુ પ્રશાંત કિશોરનો તર્ક છે કે નીતિશ કુમારે એનઆરસી લાગૂ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે અને NPR, NRCનું પહેલુ સ્ટેપ છે તો તેને લાગૂ કરવામાં આવશે નહીં.
જોકે, જનતા દળ યૂનાઇટેડ (JDU) ના નેતાઓનું કહેવું છે કે, પ્રશાંતના આ ટ્વિટે નીતિશ કુમારની મુશ્કેલીઓ વધારી દીધી છે, કેમકે જો તેઓ NPR લાગૂ કરતા નથી તો બીજેપી નારાજ થઇ જશે અને લાગૂ કરશે તો ખુરશી માટે એક પગલુ આગળ વધીને બે પગલા પાછળ જવાની તેમની ચાલ જાહેર થઇ જશે અને તેમના પર પહેલાથી જ યૂટર્ન લેવાના આરોપ લાગતા રહ્યા છે.
I join my voice with all to thank #Congress leadership for their formal and unequivocal rejection of #CAA_NRC. Both @rahulgandhi & @priyankagandhi deserves special thanks for their efforts on this count.
Also would like to reassure to all - बिहार में CAA-NRC लागू नहीं होगा।
હાલ તો એ જોવાનું રહેશે કે, નીતિશ કુમાર શું નિર્ણય લેશે. કેમકે પાર્ટીના અન્ય બે વરિષ્ઠ નેતા લલન સિંહ અને આરસીપી સિંહે ઘણીવાર કહ્યું છે કે નાગરિકતા કાયદો, એનપીઆર અને એનઆરસી પર ભ્રમ ફેલાવવાની કોશિશ છે. હાલ સૌની નજર રાજગીરમાં યોજાનારી જેડીયૂની બેઠક પર ટકી છે. એટલુ તો નક્કી છે કે જેમ-જેમ બિહારમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, નાગરિકતા કાયદો, એનપીઆર અને એનઆરસીનો મુદ્દો મામલાઓને રસપ્રદ બનાવી રહ્યા છે.
એક તરફ પ્રશાંત કિશોરની વાત જેડીયૂના નેતાઓને પસંદ નથી આવી રહી, તો સહયોગી પાર્ટી બીજેપી પણ બેચેને બની રહી છે. જ્યારે નીતિશ કુમાર મૌન ધારણ કરીને બેઠા છે, અને હસીને કહી રહ્યા છે કે, 'બધુ ઠીક છે'.