સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બિહાર પોલિસ મુંબઇ પૂછપરછ માટે ગઇ હતી ત્યારે પટનાના એસપી વિનય તિવારીને મુંબઇમાં ક્વોરંટાઇન કરી દેવામાં આવતા નિતીશ કુમારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વિનય સાથે જે પણ થયુ તે યોગ્ય નથી. બિહાર પોલિસ બસ તેમનું કામ કરી રહ્યાં છે અને હવે પટનાના ડીજીપી ત્યાંના અધિકારીઓ સાથે વાત કરશે.
શાંત સિંહ રાજપૂત કેસ
નિતિશ કુમાર ભડક્યા
કંગનાએ કહ્યુ ગુંડારાજ
બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખૂલીને બોલી રહેલી અભિનેત્રી કંગનાએ જ્યારે આ ઘટના વિશે જાણ્યુ ત્યારે તેમણે નારાજગી જતાવી અને કહ્યું કે આ ગુંડારાજ છે. સાથે જ વડાપ્રધાન મોદીને આ બાબતમાં દખલ આપવા માટે પણ જણાવ્યું છે. કંગનાની ટીમે ટ્વિટ કરીને કહ્યું કે આ શું છે, આ પ્રકારનું ગુંડારાજ.
ટ્વિટમાં આગળ નરેન્દ્ર મોદીને આ કેસમાં મદદ કરવાની પણ વાત કરવામાં આવી છે. જો આ કેસમાં ન્યાય નહી મળે તો મુંબઇમાં કોઇ પણ આઉટસાઇડર સુરક્ષિત નહી રહે.
પટના એસપી વિનય તિવારી મામલે બીજેપી વિધાયક રામ કદમે ફણ નારાજગી વ્યક્ત કરી છે, તેમણે મહારાષ્ટ્ર સરકાર તરફ ઇશારો કરતા કહ્યું કે, સરકારની નીતિ શંકા પેદા કરે છે. બિહારથી આવેલા મોટા અધિકારીને તપાસની જગ્યાએ ક્વોરંટાઇન કરી દીધા, કદાચ એટલા માટે કે સત્ય સામે ન આવી જાય.
બીજી તરફ મુંબઇ પોલિસ પર ઉઠી રહેલા સવાલને લઇને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, મુંબઇ પોલિસ તપાસ કરવામાં સક્ષમ છે તેમના પર ટિપ્પણી કરતા પહેલા વિશ્વાસ રાખવો જરૂરી બને છે.
તમને જણાવી દઇએ કે, સુશાંતના પિતા કે કે સિંઘે રિયા ચક્રવર્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ તપાસનો સિલસિલો આરંભ થયો છે.