બિહાર વિધાનસભામાં ગુરુવારે (27 ફેબ્રુઆરી) જાતી આધારીત જનગણતરીનો પ્રસ્તાવ પસાર કરી દેવાયો છે. આ નીતિશ કુમાર (Nitish Kumar) નો ત્રણ દિવસમાં બીજો માસ્ટરસ્ટ્રોક છે. આ પહેલા ગત મંગળવારે બજેટ સત્રના બીજા દિવસે વિધાસનભામાં એનઆરસી (NRC) નહીં લાગુ કરવો અને એનપીઆર (NPR) 2010ના રૂપે કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ પહેલા બજેટ સત્રના બીજા દિવસે વિધાસનભામાં NRC નહીં લાગુ કરવા પ્રસ્તાવ પસાર કરાયો હતો
બિહારમાં રાજકીય પાર્ટીઓ લાંબા સમયથી જાતી આધારીત જનગણતરીની માંગ કરી રહી હતી
આ પ્રસ્તાવ સર્વસમ્મતિથી પસાર થઇ ગયો હતો. અને આ સાથે બિહાર પહેલુ એનડીએ શાસિત રાજ્ય બન્યું, જ્યાં એનઆરસી (NRC) વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરાયો.
રાજકીય જાણકારોનું માનવું છે કે એનઆરસી અને જાતી આધારીત જનગણતરીથી નીતિશ કુમાર વિરોધીઓને ચુપ કરવવા અને પોતાના સામાજીત જનાધારને વધારવાની કોશિશમાં છે. એનઆરસી દ્વારા જ્યાં એક તરફ તેઓ લઘુતમીઓના વોટ સાધવાની પહેલ કરી રહ્યા છે. જ્યારે જાતી આધારીત જનગણતરીથી પછાત, અથિ પછાત, દલિતો અને મહા દલિતોને વોટ સાધવાની કોશિશ કરી રહ્યા છે.
બિહારમાં રાજકીય પાર્ટીઓ લાંબા સમયથી જાતી આધારીત જનગણતરીની માંગ કરી રહી હતી અને આ એક મહત્વપૂર્ણ રાજકીય મુદ્દો બની ચૂક્યો હતો. લાલુ પ્રસાદ યાદવ જાતી આધારીત જનગણતરીને લઇને ઘણી વાર સવાલ ઉઠાવી ચૂક્યા છે. નીતિશ કુમાર પણ આ વાત કહી ચૂક્યા છે કે જાતી આધારીત જનગણતરીની જરૂરિયાત ઉભી થઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સીએએ કાયદો પસાર કર્યા બાદ લઘુમતીઓની વચ્ચે બિહારમાં વિપક્ષી પાર્ટીઓ એનઆરસીનો ભય દેખાડીને સરકાર પર નિશાન સાધી રહી હતી. નીતિશ કુમારે આ રાજકીય મુદ્દા પર પણ વિરામ લગાવી દીધું.
રાજકીય જાણકારો કહી રહ્યા છે કે આ વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આ નિર્ણયોની અસર જોવા મળશે. ખાસ કરીને NRC નહીં લાગુ કરવા માટે સર્વસમ્મતિ બનાવવાને લઇને નીતિશ કુમારની તેજસ્વી યાદવ સાથે ગૃહમાં મુલાકાતથી ચર્ચાઓએ જોર પકડ્યું છે.