ભાજપના દિગ્ગજ નેતા અને દિવગંત પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની પ્રતિમા બિહાર રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે. જ્યારે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ પોતાના પૂર્વ અધ્યભ અરુણ જેટલીનું નામ રાખવાનો નિર્ણય કર્યો છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે ભાજપના દિગ્ગજ નેતા અને દિવગંત પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની પ્રતિમા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત એમના જન્મદિવસે દર વર્ષે રાજ્ય સમારોહ તરીકે ઊજવવામાં આવશે. એમને આ જાહેરાત શ્રી કૃષ્ણ મેમોરિયલ હોલમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં કરી.
કુમારે કહ્યું કે બિહારમાં અમને સેવા કરવાની તક મળી છે એમાં અરુણ જેટલીની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
Former Finance Minister late Arun Jaitley's statue to be installed in the state, announces Bihar Chief Minister Nitish Kumar. CM Kumar also said that Jaitley's birth anniversary will every year be celebrated as a state function. pic.twitter.com/m2dSXuSXYE
જણાવી દઇએ કે 24 ઓગસ્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનનું એમ્સમાં 66 વર્ષની વયે નિધન થઇ ગયું હતું. બિહારના મુખ્યમંત્રીએ જેટલીના નિધન પર શોક વ્યક્ત કરતા એમને વ્યક્તિગત ક્ષતિ જણાવ્યા હતા. એમને રારાજ્યમાં બે દિવસના રાજકીય શોકની પણ જાહેરાત કરી હતી. કુમારે જણાવ્યું હતું કે જેટલીના એમની સાથે વ્યક્તગત સંબંધ હતા.
ઉલ્લેખનીય છે કે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘે મંગળવારે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ પોતાના પૂર્વ અધ્યભ અરુણ જેટલીનું નામ રાખવાનો નિર્ણય કર્યો. આ સ્ટેડિયમને હવે અરુણ જેટલી સ્ટેડિયમના નામથી ઓળખાશે. જેનું નામકરણ 12 સપ્ટેમ્બરે ખએ સમારોહમાં કરવામાં આવશે.