ખેડૂતોની આત્મહત્યા માટે કુખ્યાત થયેલું મહારાષ્ટ્ર હવે ગરીબ મજૂર મહિલાઓની મજબૂરીના મુદ્દે શર્મસાર થયું છે. ભારત એક તરફ પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવાનું લક્ષ્ય હાંસલ કરવા માગે છે તો બીજી તરફ વાસ્તવિક હાલત એ છે કે, મહારાષ્ટ્રમાં હજારો મહિલાઓ બે ટંકનું ભોજન મેળવવા પોતાનું ગર્ભાશય કઢાવવા મજબૂર બની છે.
આ તે કેવી મજબૂરી
મજૂરી માટે મહિલાઓએ કઢાવી નાખ્યા ગર્ભાશય
30 હજાર મહિલાએ કઢાવ્યા ગર્ભાશય
મહારાષ્ટ્ર મરાઠાવાડ વિસ્તારમાં લીલીછમ આ શેરડી તેના રસથી દેશનું અર્થતંત્ર રસાળ બનાવા યોગદાન આપી રહી છે તે હકીકત છે. પરંતુ આ આંખને ઠારતા આ શેરડીના દ્રશ્યોની ભીતર ન દેખાય તેવું એક દ્રશ્ય પણ છે. મહારાષ્ટ્રમાં શેરડીથી લહેરાતા આ લીલાછમ ખેતરોમાં કામ કરી રહેલી આ મહિલાઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અન્ય મહિલાઓની જેમ જ કામ કરી રહી છે. પરંતુ આ મહિલાઓની મજબૂરીની કરુણ કહાણી ઘણો આઘાત પમાડે તેવી છે.
આર્થિક સ્થિતિ છે ઘણી ખરાબ
શેરડીના ખેતરમાં કામ કરતી આ મહિલાઓની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે. આથી એક દિવસ પણ મજૂરી વિના ઘરે રહેવું તેમને પરવડે તેમ નથી. પરંતુ કુદરતનું સમયચક્ર જુદુ હોય છે. તેને માનવીની મજબૂરી કે લાચારી સાથે કંઈ લેવાદેવા નથી. તકલીફ અહીં છે. એક દિવસ પણ દાડો પાડીને ઘરે નહીં રહી શકવા મજબૂર આ મહિલાઓએ રજસ્વાલાના દિવસો દરમિયાન ફરજિયાત ચાર પાંચ દિવસ ઘરે રહેવું પડે છે.
30 હજાર જેટલી મહિલાઓ પોતાનું ગર્ભાશય કઢાવી ચૂકી છે
मराठवाड्यातील सुमारे ३० हजार महिला उस तोड कामगारांनी मासिक पाळीच्या ४ दिवसांत रोजगार बूडू नये म्हणून गर्भाशय काढून टाकल्याची गंभीर बाब समोर आली आहे. यावर मानवीय दृष्टीकोनातून मासिक पाळीतील ४ दिवसाची मजूरी महिला उस तोड कामगारांना देण्याची मागणी मुख्यमंत्र्यांकडे आज मी केली . pic.twitter.com/AJkB8OFhdd
જેના કારણે આ મહિલાઓએ દર મહિને ચાર પાંચ દિવસની મજૂરીથી વંચિત રહેવું પડે છે. મહિલાઓને દર મહિને આ રીતે રોજગારી જતી કરવી પોષાય તેમ નથી. આ સમસ્યાનો ઉકેલ ખુદ મહિલાઓ જ શોધી કાઢયો છે...પોતે રજસ્વાલાના કારણે દર મહિને રોજગારી ન ગુમાવવી પડે તે માટે મહિલાઓ પોતાનું ગર્ભાશય જ કઢાવવા લાગી છે. તમને જાણીને આંચકો લાગશે કે અત્યાર સુધી 30 હજાર જેટલી મહિલાઓ પોતાનું ગર્ભાશય કઢાવી ચૂકી છે.
કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ સરકારને લખ્યો પત્ર
તાજેતરમાં મહારાષ્ટ્રમાં રચાયેલી ઉદ્ધવ ઠાકરેની સરકારમાં સામેલ કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.આ બાબતે મહારાષ્ટ્ર સરકારમાં આદિવાસી અને મહિલા બાળવિકાસ મંત્રી નીતિન રાઉતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે.
સરકારે આ બાબતે હસ્તક્ષેપ કરવો જરૂરી
દેશના અર્થતંત્રના વિકાસ માટે દેશની અડધી વસતિ એવી મહિલાઓ પણ પુરુષો સાથે ખભેખભો મિલાવીને ઊભી રહે છે. ત્યારે દેશના આ અર્ધા અંગને આવી કરુણ સ્થિતિમાંથી પસાર થવુ પડે તે માનવીય વાત નથી. સરકારે આ બાબતે હસ્તક્ષેપ કરવો જરૂરી છે.