નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું કે, તેણે સ્વિકાર કર્યો છે કેટલીક વાર સરકારી કાર્યક્રમોમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થતું નથી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો સ્વિકાર
સરકારી કાર્યક્રમમાં તુટે છે નિયમો
`રાજકીય કાર્યક્રમોમાં ઉમટે છે ભીડ'
સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં એકઠી થતી ભીડ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્વિકાર કર્યો છે કેટલીક વાર કાર્યક્રમોમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થતું નથી. પત્રકારો સાથે વાત કરતે તેમણે એ પણ કહ્યું કે, મોટાભાગે રેલીઓમાં અમે કાળજી રાખતા હોઈએ છીએ, પરંતુ કેટલીકવાર કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈ જતા હોય છે. તેમણે કહ્યું કે 7 ઓગસ્ટે સરકારને 5 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને જ કરવામાં આવી હતી.
DyCM નીતિન પટેલે અમદાવાદની સોલા સિવિલ ખાતે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ત્યારે આ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે રાજ્યમા સરકાર દ્વારા વેક્સિન આપવાનું કામ ચાલી રહ્યું છે. રાજ્યમાં દરરોજ 6 લાખ લોકોને વેક્સિન આપવામાં આવે છે. ગુજરાતમા 4 કરોડથી વધુ વેક્સિનના ડોઝ અપાયા છે. અને રાજ્યને વધુ વેક્સિનનો જથ્થો મળે તે માટે સતત પ્રયાસ ચાલુ છે. નીતિન પટેલે કહ્યું કે વેક્સિન ડોઝ વધુ ફાળવવા મંત્રી મનસુખ માંડવિયાને મારી અપીલ છે.