CAAના વિરોધને મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, તમામ જગ્યાએ સંપુર્ણ શાંતિ છે. ધંધા અને રોજગાર નિયમિત થઈ ગયા છે. ગત રોજ અફવા ફેલાવી શાંત વાતાવરણ ડહોળ્યું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસને ઈજા થઈ છે. તોફાની તત્વોએ પોલીસને વ્યક્તિગત રીતે માર્યા છે. પોલીસના વાહનો પર પણ પથ્થરમારો થયો હતો.
આ વ્યવસ્થિત કાવતરું અને આયોજન હતું.
આ શંકાસ્પદ કામગીરી છે. શાંતિ નથી ઈચ્છતા તેવા લોકોએ આ તોફાન કરાવ્યા હોય તેમ લાગે છે. રાત્રે પોલીસે કોમ્બિંગ કર્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. કાવતરાખોરોની પોલીસે રાત્રે જ ધરપકડ કરી છે. કેટલાંક લોકોએ ઉશ્કેરણી કરી છે. એક પક્ષના લોકોએ આ પ્રયાસ કર્યો પણ તેઓ સફળ ના થયા.
નીતિન પટેલે પરેશ ધાનાણીની ટ્વીટ અંગે પણ ટીપ્પણી કરી હતી
ગુજરાતની શાંતિ તો આ લોકોને ગમતી નથી. ઉશ્કેરણી કરનારા લોકો ક્યાં ફરે છે તે સૌ કોઈ જાણે છે. તોફાની તત્વોને છાવરવા માગતા હોય તો તેઓ સફળ થવાના નથી. કોંગ્રેસ પ્રેરિત તોફાનો પરેશ ધાનાણી છાવરી નહી શકે.
કેમ થયો કાશ્મીરની પેટર્નનો ઉપયોગ
કાશ્મીરની પેટર્ન હોય તે રીતે પોલીસનું ધ્યાન ડાયવર્ટ કરવું અને તોફાન કરવું તેવું જ અહીં થયું છે. કેટલાક તત્વો મોઢા પર રૂમાલ બાધી પથ્થરો મારતા હતા. જો કે સીસી ટીવી કેમેરા હતા એટલે તે લોકો ઓળખાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર પણ પોલીસની સતત નજર રખાઈ રહી છે. સો.મીડિયાનો દુરુપયોગ કરનાર સામે પગલા લેવાશે.