કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા અસ્પૃશ્યતા શબ્દ વાપરમાં આવતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અસ્પૃશ્યતા શબ્દનો વાંધો ઉઠાવ્યો હતો.
અસ્પૃશ્યતા શબ્દ પ્રયોજતા વિવાદ
નિતીન પટેલે અસ્પૃશ્યતા શબ્દનો વાંધો ઉઠાવ્યો
'અસ્પૃશ્યતા લીધે પાલનપુરથી દલિતોને હિજરત કરવી પડી
કોંગ્રેસ ધારાસભ્ય પ્રવિણ મૂછડિયા દ્વારા અસ્પૃશ્યતા શબ્દ પ્રયોજતા વિવાદ થયો હતો. વિપક્ષના ધારસભ્યએ મોટી કંપનીઓ નોકરી આપવામાં અસ્પૃશ્યતા દાખવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને વિવાદ છેડાયો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા અસ્પૃશ્યતા શબ્દ વાપરમાં આવતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અસ્પૃશ્યતા શબ્દનો વાંધો ઉઠાવ્યો હતો. જેને પગલે
પાલનપુરમાંથી દલિતો કરી રહ્યા છે હિજરત
નીતિન પટેલના વાંધા વચ્ચે શૈલેષ પરમારનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતુ જેમાં તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતમાં અસ્પૃશ્યતા લીધે પાલનપુરમાંથી દલિતોને હિજરત કરવી પડી રહી છે.
રોજગારી મુદ્દે CM રૂપાણી આપ્યુ નિવદેન
સ્થાનિકોને કંપનીઓ દ્વારા રોજગારી આપવાનો મામલે મુખ્યમંત્રીએ ગૃહમાં ખાતરી આપતા જણાવ્યું હતુ કે, અમારી પર વિશ્વાસ રાખો. સ્થાનિકોને કંપનીઓ દ્વારા રોજગારી આપવામાં આવે છે અને આવશે.