નીતિન પટેલે આજે આંજણા કેળવણી મંડળમાં શબ્દોના ચાબખા માર્યા હતા. ગઈકાલે પણ નીતિન પટેલે બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટના ઉદ્ઘાટન વખતે અસિત વોરાને ટાર્ગેટ કરીને મજાકમાં કટાક્ષ લપેટી શબ્દોના બાણ માર્યા હતા. ગાંધીનગરમાં અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સંબોધનમાં ઘણા નેતાને આડે હાથ લીધા હતા તો વળી IAS, IPS,IFS નોન ગુજરાતી, આપણો કોઈ નથી.
અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા સ્નેહ સંમેલનમાં નીતિન પટેલની ગર્જના
''રાજકારણમાં કામ કર્યા બાદ કોઈ ઓળખતું નથી'' : નીતિન પટેલ
યુવકોને IAS, IPS અધિકારી બનવા આહ્વાન આપ્યું
નીતન પટેલ છેલ્લા કેટલાક સમયથી બેબાક નિવેદનો આપતા નજરે પડી રહ્યા છે ગઈકાલે બ્રહ્મ સમાજની બિઝનેસ સમીટમાં અસિત વોરાને આડેહાથ લીધા બાદ આજે રાજકારણીઓનો પણ ચાબખા માર્યા હતા.
શંકરસિંહ વાઘેલાને યાદ કર્યા
નીતિન પટેલે કહ્યું હતુ કે, રાજકારણમાં કામ કર્યા બાદ કોઈ ઓળખતું નથી. સારી સારી પોસ્ટિંગ મેળવ્યા બાદ તમે કોણ અને હું કોણ તેવું હોય છે. સ્નેહ સંમેલન કાર્યકમમાં નીતિન પટેલે શંકરસિંહ વાઘેલાને યાદ કર્યા હતા.
રાજકારણમાં કોઈ કોઈનું નથી
ઘણા લોકો અમે રાજકારણમાં જોઇએ છીએ કે કામ પછી તમે કોણ અને અમે કોણ. કરોડોનું કામ કરાવી જાય. લાખોનું કામ કરાવી જાય. સારી સારી પોસ્ટિંગ લઇ જાય અને પછી ક્યારેય દેખાય જ નહીં. ઘણા ઉછાળવાનું કામ કરે છે અને પછી ધીરે રહીને ખસી જાય છે.અમને ઉછાળે છેને ને ઝીલે છે અને લપસાઇ દે છે. પરંતુ કોઇને કોઇ મળી જાય તો પાછા પકડાઇ જઇએ છીએ.
રાજકારણ અંગે ધારશબ્દોમાં ઈશારા કર્યા
તેમણે વળી વધુમાં શબ્દોને વધારે ધારદાર કરતા કહ્યું હતુ, કે, ઘણાં ઉછાળવાનું કામ કરે છે પછી ધીમે રહીને ખસી જાય છે. પછી માણસ નીચે પટકાય છે. એવું ભણો કે સચિવાલયમાં પણ નેમ પ્લેટ ગુજરાતીઓની હોય. ચૂંટણીમાં બધા મને કાઢું કાઢું કરતા હતા. મને બધાએ ઘેરી લીધો હતો.
યુવકોને IAS, IPS અધિકારી બનવા આહ્વાન આપ્યું
ગુજરાતીઓ અમરેકી પહોંચી ગયા. પણ ગુજરાતીઓ સચિવાલય નથી પહોંચ્યા. IAS, IPS,IFS નોન ગુજરાતી, આપણો કોઈ નથી. એટલે ભણીગણીને કોઈ અધિકારી બનો તો કામનું.