ગાંધીધામમાં મગફળીકાંડનું ભૂત ફરી ધૂણ્યું છે. જનતા રેડમાં મગફળીની બોરીઓમાંથી મોટા પથ્થરો અને માટીનાં ઢેફાં નિકળ્યા છે. ત્યારે આ મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે. કોંગ્રેસે આ કૌભાંડના તાર મુખ્યમંત્રીની ઓફિસ સુધી જોડાયેલા હોવાના આક્ષેપ લગાવ્યા છે. ત્યારે કોંગ્રેસા આક્ષેપ પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું આવો સાંભળિએ.