DyCMનો હોદ્દો નથી છતા મને બોલાવ્યો તેનો આનંદ થતાં નીતિન પટેલે રમુજ કરી કહેવતને યાદ કરી
મોરબીના કાર્યક્રમમાં નીતિન પટેલની રમુજ
ગુજરાતી કહેવતને યાદ કરી
હું હવે નાથાલાલમાંથી નાથિયો બની ગયો -નીતિન પટેલ
મોરબીમાં ખોખરા હનુમાન ધામના એક કાર્યક્રમમાં નીતિન પટેલે સ્વભાવ મુજબ રમૂજી ભાષામાં કહેવતને યાદ કરી બોલ્યા હતા કે હવે અમે નાથીયા જેવા થઇ ગયા છે.
DyCMનો હોદ્દો નથી છતા મને બોલાવ્યો તેનો આનંદ: નીતિન પટેલ
મોરબીમાં ખોખરા હનુમાન ધામના કાર્યક્રમમાં નીતિન પટેલ પહોંચ્યા હતા જ્યાં કાર્યક્રમમાં સંબોધન વખતે નીતિન પટેલે હરહમેશની જેમ આગવી છટામાં ભાષણ આપ્યું હતું. અને કહ્યું હતું કે આજે DyCMનો હોદ્દો નથી છતા મને બોલાવ્યો તેનો આનંદ છે. આ આનંદને ગુજરાતી કહેવતની રૂપે રમૂજી અંદાજમાં રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે હવે અમે નાથીયા જેવા થઇ ગયા છે. પેલી કહેવત છે ને કે નાણા વગરનો નાથિયો,નાણે નાથાલાલ પહેલા હોદ્દો હતો અને હવે નથી એ પર કટાક્ષ કરતાં આ વાત કરતાં કાર્યક્રમમાં હાસ્યની છોડો ઉડી હતી. અને પોતાને હાલની પરિસ્થિતિએ હું હવે નાથાલાલમાંથી નાથિયો બની ગયો એવું કહ્યું હતું.જુઓ નીતિન પટેલે આ સિવાય પણ થોડા દિવસ અગાઉ કયા નિવેદન આપ્યા હતા
આ પહેલા ગુજરાતમાં અધિકારી રાજ પર આપ્યું હતું નિવેદન
20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં સરકાર અધિકારીઓના ઈશારે ચાલતી હોવાના કોંગ્રેસના આક્ષેપ પર નીતિન પટેલે વળતો જવાબ આપ્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર અધિકારીઓને પૂછીને ચાલે છે તેવી બહાર લોકો ખોટી વાતો કરે છે. સરકાર અધિકારીઓ કહે એમ ન ચાલી શકે.. અધિકારીઓ કહે એમ મેં તો ક્યારેય કામ નથી કર્યું. હંમેશા કોઈપણ યોજનાહોય તો જે તે ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને પૂછીને પ્રજાના હિતમાં નિર્ણયો લીધા છે.પ્રજાને પૂછીને એટલે કે લોકોના મનમાં જે હોય તેવી રીતે સરકાર ચાલે છે. આમ, નીતિન પટેલ અધિકારીશાહીને જાકોર આપી કોંગ્રેસના આરોપને વખોડી કાઢ્યા હતા અને કહ્યું હતું કે સરકાર લોકોની છે, લોકો કહે તેમ ચાલે છે નહીં કે અધિકારીઑ.
ઘણા લોકો ખુશ થતા હશે કે, હાશ નીતિનભાઈ ગયા: નીતિન પટેલ
19 સપ્ટેમ્બરે મહેસાણામાં કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન નીતિન પટેલે કહ્યું હતું કે, પોઈન્ટ એક ટકા લોકો એવા હોય છે કે જે જેઓ નકામા હોય છે. પરંતુ, મારે તેની સામે જોવાનું નથી. મારે બાકીના 99.99 ટકા કાર્યકર્તાઓનું હિત જોવાનું છે અને તેના માટે કામ કરવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે,ઘણા લોકો ખુશ થતા હશે કે, હાશ નીતિનભાઈ ગયા, વિજય રૂપાણી ગયા. પરંતુ, મારે કહેવું છે કે, હું એક નથી ગયો આખુ મંત્રીમંડળ ગયું છે.
નારણ કાછડિયાના વિવાદ પર શું બોલ્યા હતા નીતિન પટેલ
23 સપ્ટેમ્બરના રોજ નીતિન પટેલ અને નારણ કાછડિયાનો વિવાદ વધુ વકરતા નીતિન પટેલે તેમની સ્ટાઈલમાં એક એક આરોપ પર ખૂલીને જવાબ આપ્યા હતા. નીતિન પટેલે ત્યાં સુધી કાછડિયાનું નામ લઈને નિશાન સાધ્યું ન હતું જ્યાં સુધી વિવાદ ચરમસીમાએ ન પહોંચ્યો. જોકે તેમણે બાદમાં ખૂલીને કહ્યું કે મહેસાણામાં બે દિવસ પહેલા કહેલી વાતનો બાદમાં ઉલ્લેખ તેમણે કેમ કર્યો તે મને સમજાયું નહીં. તેમણે કહ્યું કે મારી ઓફિસમાં અનેક લોકો કામ માટે આવતા હતા તેમાં સાંસદો પણ હોઈ શકે. મારી ઓફિસમાં રોજના 700 લોકો આવતા હતા અને વર્તમાનમાં પણ આવે છે.આ ઉપરાંત સૌની યોજના મામલે નીતિન પટેલે જવાબ આપતા કહ્યું હતું કે સિંચાઇ વિભાગની જવાબદારી ઘણા વર્ષોથી મારા પાસે નથી. હું તો જ્યારે મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી આપવા માટે સૌની યોજના શરૂઆત કરી હતી. તે સમયે હું સિંચાઇ મંત્રી હતો અને યોજનાનું ફેઝ વનનું કામ તે વખતે કરેલું હતું. ત્યાર પછી માંરા વિભાગ બદલાયા, મારા પછી તો બાબુભાઇ બોખરીયા અને છેલ્લા પાંચ વર્ષથી વિજયભાઈ પાસે જ સિંચાઇ વિભાગનો ચાર્જ છે. તે વખતે તો હું નાણામંત્રી હતો.