રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે કયા વિભાગને કેટલી ફાળવણી કરાઇ તેના પર નજર કરીએ તો.માહિતી અને પ્રસારણ વિભાગ માટે રૂ.174 કરોડની જોગવાઇ કરાઇ છે. અને કાયદા વિભાગ માટે રૂ.1653 કરોડની જોગવાઇ છે.
જ્યારે સામાન્ય વહીવટ વિભાગ માટે રૂ.2031 કરોડ અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ માટે રૂ.579 કરોડની ફાળવણી કરાઇ છે. તો મહેસૂલ વિભાગ માટે રૂ.3383 કરોડ, વિજ્ઞાન અને પ્રૌધોગિકીના વિકાસ માટે રૂ.504 કરોડ અને ગૃહ વિભાગ માટે રૂ.6678 કરોડની જોગવાઇ કરાઇ છે.
જ્યારે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગમાં રૂ.6301 કરોડ ફાળવણી કરાઇ છે. તો વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.154 કરોડ, કુટિર અને ગ્રામોદ્યોગ વિકાસ માટે રૂ.614 કરોડ અને પ્રવાસન વિભાગ વિકાસ માટે રૂ.472 કરોડની જોગવાઇ બજેટમાં કરાઇ છે.
જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1005 કરોડની ફાળવણી કરાઇ છે. અને પવિત્ર યાત્રાધામ વિકાસ વિકાસ બોર્ડને રૂ.164 કરોડ ફાળવાયા છે. નાગરિક ઉડ્ડયન વિભાગ સુવિધાઓના વધારા માટે રૂ.442 કરોડ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રૂ.1048 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને રૂ.13,094 કરોડની ફાળવણી કરાઇ છે.
જ્યારે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂ.1377 કરોડની જોગવાઇ કરાઇ છે. તો શ્રમ અને રોજગાર વિભાગને રૂ.1471 કરોડ, માર્ગ અને મકાન વિભાગને રૂ.10,058 કરોડ અને શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગને રૂ.13,149 કરોડ ફાળવણી કરાઇ છે.
ઉપરાંત પંચાયત, ગ્રામ નિર્માણ, ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.8462 કરોડની જોગવાઇ કરાઇ છે. બજેટમાં આદિજાતિ વિકાસ યોજના હેઠળ રૂ.14,567 કરોડ અને આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.2481 કરોડની જોગવાઇ કરાઇ છે.
જ્યારે સમાજિક ન્યાય અને આધિકારીતા વિભાગ માટે રૂ.4212 કરોડ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે રૂ.3138 અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ.10,800 કરોડની ફાળવણી કરવામાં આવી છે. પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ માટે રૂ.4300 કરોડ અને શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ રૂ.30,045 કરોડની ફાળવણી કરાઇ છે.