પાટીદારોનું એકહથ્થુ શાસન ધરાવતું મહેસાણા ગાંધીનગરનો દોરી સંચાર કરતો હોવાનું ખુદ ભાજપના જ સભ્યોમાં ગણગણાટ જોવા મળે છે. હાલ પણ ગાંધીનગરમાં ખુરશીઓ ડોલી રહી છે અને સત્તામાં રહેલા કી પર્સન પોતાની ખુરશી બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ અનામતને મુદ્દે સરકારને ભેરવી દેવી એ ગુજરાતના ઈતિહાસમાં નવી વાત નથી અને તેનું ઉદાહરણ પાટીદાર અનામત આંદોલન છે જેના ફણગા મહેસાણામાં જ ફૂટ્યા હતા.
મહેસાણા આંદોલનનું એપીસેન્ટર
ફરી મહેસાણાથી શરૂ થશે આંદોલન
પરિપત્ર મુદ્દે મહેસાણાથી શરૂ થશે આંદોલન
હાલ અનામત મુદ્દે ફરી આંદોલન સક્રિય થઇ રહ્યાં છે આંદોલનનું એપીસેન્ટર કહેવાતા મહેસાણાથી 1 ઓગસ્ટ 2018નો ઠરાવ હટવાવના ઉગ્ર આંદોલનની શરૂઆત મહેસાણાથી થશે. નોંધનિય છે કે PAASએ અહી મહેસાણાથી જ અનામત આંદોલનનું બ્યુગલ ફૂક્યું હતુ. અગાઉ પાટીદાર આંદોલનનું કેન્દ્ર પણ મહેસાણા જ હતું. આથી મહેસાણાએ આંદોલનનું એપી સેન્ટર કરી શકાય. અલ્પેશ ઠાકરે પણ પહેલી બેઠક અહીં જ કરી હતી. નોંધનિય છે કે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનો મત વિસ્તાર મહેસાણા છે.
1990થી મહેસાણા વિધાનસભા ઉપર ભાજપનું રાજ
અનામત આંદોલનનું એપી સેન્ટર કે ઉદ્ભવ સ્થાન મહેસાણાને ગણવામાં આવે છે. વિધાનસભાની આ બેઠક ઉપર 1990થી ભાજપનું રાજ છે. ત્યારે હાલ ત્યાંથી થઈ રહેલો વિરોધ સૂચક છે. આ વિરોધ ભાજપનો છે કે મુખ્યમંત્રીનો તે સમજવું રહ્યું.
1962માં મહેસાણાની બેઠક ઉપર શાંતીબેન પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા જ્યારે 1967માં કે. જે યાજ્ઞિક સ્વતંત્રતા પાર્ટીમાં આ બેઠક ઉપર કબજો મેળવ્યો હતો. એ પછી 1972માં વળી આ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ. અને દયાશંકર ત્રિવેદી જીત્યા, 1975 અને 1980માં ભવાનસિંહજી ઝાલા પણ કોંગ્રેસમાંથી જીત્યા હતા. 1981 કોંગ્રેસમાંથી ભવાનસિંહજી જીત્યા
1985થી પટેલોનો ગઢ છે મહેસાણા
1985માં મણિલાલ પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા. અને ત્યાર બાદ એટલે કે, 1990થી 2017 અત્યાર સુધી ભાજપ અને પાટીદારના હાથમાં છે. છેલ્લી બે ટર્મથી આ બેઠક ઉપરથી નીતિન પટેલ જીતે છે. આ જીત જ મહેસાણાનું ગાંધીનગરમાં મહત્વ સાબિત કરી દે છે. આનંદી બહેન પટેલ, નીતિન પટેલ, રજની પટેલ આ તમામ નામ મહેસાણાના પટેલ પાવરનું પ્રતિનિધિત્વ કરે છે. ખુદ નરેન્દ્ર મોદી પણ ક્યાંકને ક્યાંક ઉત્તર ગુજરાત સાથે સંકળાયેલા છે.
શું નીતિન પટેલ છે માસ્ટર માઈન્ડ?
જો કે એ ચર્ચા હંમેશા થઈ રહી છે કે, નીતિન પટેલે આનંદી બહેન પટેલને સીએમની ખુરશી આ જ અનામતને હથિયાર બનાવીને છોડાવી હતી. અને પોતે ગુજરાતની મુખ્યમંત્રીની ખુરશીના પ્રબળ દાવેદાર ગણાતા હતા. ત્યારે તેમને અચાનકથી જ નાયાબ મુખ્યમંત્રીનું પદ સોંપી દેવાયુ હતુ. જો કે આ વખતે આ આંદોલન કોનો ભોગ લે છે તે જોવું રહ્યું.