અહેવાલો અનુસાર એક પછી એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં ફિઝિયો નીતિન પટેલની NCAમાં ટ્રાન્સફર થઇ શકે છે. જાણો વિગતવાર
ગત દિવસો ઘણા ખેલાડીઓ થયા ઈજાગ્રસ્ત
નીતિન પટેલની બેંગલુરુ સ્થિત એનસીએમાં ટ્રાન્સફર
રાહુલ દ્રવિડે આપી સલાહ
એક પછી એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં ફિઝિયો નીતિન પટેલની NCAમાં ટ્રાન્સફર
ગત દિવસો ઘણા ખેલાડીઓ થયા ઈજાગ્રસ્ત
સૂર્યકુમાર યાદવ, ઋતુરાજ ગાયકવાડ સહિત ઘણા ખેલાડી ગત દિવસોમાં ઈજાગ્રસ્ત થવાને કારણે મેદાનથી દૂર રહ્યા છે. એક પછી એક ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન સતત વધી રહ્યું છે. હવે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ એન્ડ કંપની ખેલાડીઓને થતી ઈજાઓ રોકવા માટે ગંભીરતાથી કામ લઈ રહી છે. આ સ્થિતિમાં ટીમ ઇન્ડિયાના ફિઝિયો નીતિન પટેલનું બેંગલુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં જોડાવું નક્કી છે.
નીતિન પટેલની બેંગલુરુ સ્થિત એનસીએમાં ટ્રાન્સફર
અહેવાલો અનુસાર ફિઝિયો નીતિન પટેલની બેંગલુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં ટ્રાન્સફર થવાની છે. એનસીએમાં નીતિન પટેલની ટ્રાન્સફર પ્રમોશન સાથે થશે. તેમને એનસીએમાં નવા બનેલા હેડ સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિનનું પદ મળશે. નીતિન પટેલનું એનસીએમાં જવું નક્કી છે, કારણ કે તાજેતરમાં બીસીસીઆઈએ ભારતીય ટીમના ફિઝિયોપદ માટે આવેદન મંગાવ્યાં છે.
રાહુલ દ્રવિડે આપી સલાહ
એવું માનવામાં આવી રહ્યું છે કે નીતિન પટેલની એનસીએમાં ટ્રાન્સફર કરવાની સલાહ રાહુલ દ્રવિડે આપી છે, જે ભારતીય ખેલાડીઓને તાજેતરમાં થયેલી ઈજાઓથી ચિંતિત છે. દીપક ચાહરથી લઈને સૂર્યકુમાર યાદવ, વરુણ ચક્રવર્તી જેવા ઘણા ખેલાડીઓએ રિહેબ માટે એનસીએમાં જવું પડ્યું છે.
આથી ટીમ મેનેજમેન્ટને લાગે છે કે અનુભવી અને નિષ્ણાત નીતિન પટેલ જ એનસીએ માટે યોગ્ય વિકલ્પ છે, કારણ કે આગામી ૧૮ મહિનામાં બે વર્લ્ડકપ રમાવાના છે. નીતિન પટેલની ટ્રાન્સફર શ્રીલંકા સામે ચાલી રહેલી શ્રેણી બાદ થશે. હાલમાં ટીમ ઇન્ડિયા પાસે નીતિન પટેલ અને યોગેશ પરમાર- એમ બે ફિઝિયો છે. પરમાર ટીમ ઇન્ડિયા સાથે જળવાઈ રહેશે.