કહ્યુ કામમાં બેદરકારી દાખવી તો માર્યા વગર છોડીશ નહી
અકસ્માતોનો રોકવા તે આપણી ફરજ છે: નિતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં અકસ્માત 50 ટકા જેટલા રોકવા માટે નવી યોજનાની શરૂઆત કરી છે. IRASTE યોજના અંતર્ગત હવે જે પણ ઓફિસરો રોડની કામગીરીમાં મોડુ કરશે તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. નિતિન ગડકરીએ કહ્યું કે મને જે ઓફિસરો સારુ કામ કરીને આપે તેવા લોકો પસંદ છે.
બેદરકારોન ડંડો મારવાનું કામ મારા પર છોડો: નિતિન ગડકરી
વધુંમાં નીતિન ગડકરીએ કહ્યું કે જે અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે. તેમને ડંડો મારવાનું કામ મારા પર છોડી દો. સાથેજ ગડકરી એવું પણ બોલ્યા કે જે અધિકારીઓ કામમા મોડુ કરે છે તેમના કારણે સિસ્ટમ પર પણ અસર પડે છે.
સિસ્ટમ પ્રમાણે કામ ન કરતા લોકો સામે લેવાશે કડક પગલા
સમગ્ર મામલે નીતિન ગડકરીએ કહ્યું કે જે અધિકારી સિસ્ટમ પ્રમાણે કામ નથી કરતો તેની સામે કડક પગલા લેવામાં આવશે. સાથેજ તેમણે કહ્યું કે જો કોઈ કામમાં વિલંબ કરશે તો તેને ઠપકો આપ્યા વગર છોડીશ નહી.
નાગપુરમાં વર્ષના 1500 અકસ્માત
ઉલ્લેખનીય છે. નાગપુરમાં દર વર્ષે 1500 જેટલા અકસ્માત થાય છે. જેમાં 250 જેટલા લોકો અકસ્માતને કારણે મોત પામતા હોય છે. જે અધિકારીઓ માટે સારો સંકેત નથી તેવું ગડકરી બોલ્યા હતા. સાથેજ વધુંમાં તેમણે અધિકારીઓ વીશે કહ્યું કે તેમની ફરજ છે કે રોડ સરખો કરીને અકસ્માતો રોકવામાં આવે.