નિતિન ગડકરીએ કહ્યું કે જે રીતે ધર્મની રક્ષા માટે શ્રીકૃષ્ણએ મહાભારત દરમિયાન દુર્જનોનો નાશ કરવા માટે અસ્ત્ર ઊઠાવ્યું હતું તેવી રીતે CM યોગી પણ દુર્જનોનો નાશ કરી રહ્યાં છે.
યૂપીમાં બુલડોઝર અભિયાન પર બોલ્યાં ગડકરી
કહ્યું પત્નીએ આ અભિયાન અંગે પૂછ્યો હતો સવાલ
નિતિન ગડકરીએ મહાભારતનો ઉલ્લેખ કરી આપ્યો જવાબ
ઉત્તરપ્રદેશમાં હાલમાં માફિયા અને ગુનેગારો પર યોગી સરકાર બુઝડોઝર અભિયાન ચલાવી રહી છે. અંસારીથી લઈને અહેમદ સુધી કોઈ પણ દબંગને માફ કરવામાં નથી આવી રહ્યો. સમગ્ર દેશમાં યૂપીનાં બુલડોઝરની ચર્ચા ચાલી રહી છે. આ તમામની વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક અનોખી વાત કરી છે.
નિતિન ગડકરીએ પત્નીને આપ્યો અનોખો જવાબ
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે મારી પત્નીએ પૂછ્યું કે યૂપીમાં શું ચાલી રહ્યું છે? મેં કહ્યું કે જે રીતે ધર્મની રક્ષા માટે ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારત દરમિયાન દુર્જનોનો નાશ કરવા માટે અસ્ત્ર ઊઠાવ્યું હતું તેવી રીતે CM યોગી પણ દુર્જનોનો નાશ કરી રહ્યાં છે.
યૂપી સરકારનો મુખ્ય હથિયાર છે બુલડોઝર
2020માં યૂપીમાં શરૂ થયેલી બુલડોઝર રાજનીતિ હવે યોગી આદિત્યનાથ સરકારનું મુખ્ય હથિયાર બની ગયું છે. બુલડોઝર સામાન્યરીતે તોડફોડનાં ઉપકરણનાં રૂપમાં જોવામાં આવે છે પરંતુ હવે આ ન માત્ર ઉત્તરપ્રદેશમાં પરંતુ રાજ્યની બહાર સુશાસનનું પણ પ્રતીક બની ગયું છે. બુલડોઝરને પહેલીવખત 2020માં કાનપુરનાં બિકરૂ ગામડામાં ગેંગસ્ટર વિકાસ દુબેનાં ઘરને તોડવા માટે ઉપયોગમાં લેવાયું હતું.