કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં રાષ્ટ્રવાદને સૌથી મહત્વનો ગણાવતા કહ્યું છે કે, રાજનીતિ પૈસા કમાવાનું સાધન નથી.
નીતિન ગડકરીએ આપ્યો જીતનો મંત્ર
ચૂંટણી લડનારા દરેક વ્યક્તિએ હારથી ડરવુ ન જોઈએ
લડતા રહો, એક દિવસ ચોક્કસ જીત મળશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં રાષ્ટ્રવાદને સૌથી મહત્વનો ગણાવતા કહ્યું છે કે, રાજનીતિ પૈસા કમાવાનું સાધન નથી. તો વળી 2024 લોકસભા ચૂંઠણીમાં જીતવા માટે નીતિન ગડકરીએ કહ્યું કે, સ્વાભાવિક છે કે, દરેક રાજનેતા આગામી ચૂંટણી જીતવાનું વિચારતા હોય છે. તેમણે ગુડ ગવર્નેંસ અને વિકાસને જીતનો મંત્ર ગણાવ્યો હતો.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નીતિન ગડકરીએ કહ્યું હતું કે, રાજનીતિમાં ભાજપની સફર પર કહ્યું. ક્યારેક જીત થઈ, ક્યારેક હાર થઈ, ક્યારેક સન્માન તો ક્યારેક અપમાન થયું, પણ અમે ચાલતા રહ્યા, અમે ક્યાંય અટક્યા નથી.
જીતનો આપ્યો મંત્ર
તેમણે કહ્યું કે, હું વિરોધીઓને એ કહેવા માગુ છું કે, રાજનીતિમાં જીતનો મંત્ર એ છે કે, લડતા રહો. રાજનીતિમાં કોઈ હાર અંતિમ હોતી નથી. કોઈ પણ માણસ હારવાથી ખતમ થતો નથી. લડાઈથી ભાગનારાની હંમેશા હાર થાય છે. ત્યારે આવા સમયે લડતા રહો અને દરેક લડનારાનો એક દિવસ ચોક્કસ આવે છે.
ભાજપના રાજકીય સંઘર્ષને લઈને નીતિન ગડકરીએ કહ્યું કે, મેં ઈમરજન્સી જોઈ છે, અમારી પાર્ટીના જ્યારે બે સાંસદ સદનમાં પોહંચ્યો તો, વિરોધીઓએ કટાક્ષ કર્યો હતો. અમારી મજાક ઉડાવી હતી, પણ અમે અટક્યા નહીં, ચાલતા રહ્યા.
યોગીના બુલ્ડોઝર પર કહી આ વાત
તો વળી બુલ્ડોઝર સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે, યુપીમાં યોગી સરકારે હિમ્મત બતાવી છે. ગુંડા તત્વો વિરુદ્ધ તેમની આકરી કાર્યવાહી છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમણે આ કામ કર્યું છે. બુલ્ડોઝરને લઈને તેમણે કહ્યું કે, બુલ્ડોઝર અસામાજિક તત્વો, અરાજક લોકો માટે છે. જે ખોટુ કરશે, તેના પર બુલ્ડોઝર ચાલશે.