મોદી સરકારમાં સૌથી શાનદાર કામ કરનારા મંત્રીની ઈમેજ ધરાવતા નીતિન ગડકરીને ભાજપની સંસદીય બોર્ડમાંથી હટાવી દેવામા આવ્યા છે, જો કે, તેમના કામમાં કોઈ જ ફેર પડ્યા નથી.
સંસદીય બોર્ડમાંથી હટાવ્યા બાદ નીતિન ગડકરીએ કહી આ વાત
સરકારને લઈને કહી દીધી આ વાત
તેમણે કહ્યું કે, સરકારની સૌથી મોટી સમસ્યા એ છે કે...
ભારતીય જનતા પાર્ટીના નવા સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યોના નામની જાહેરાત થઈ ગઈ છે. સંસદીય બોર્ડમાંથી નીતિન ગડકરી આઉટ થઈ ગયા છે અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં દેવેન્દ્ર ફડણવીસને જગ્યા આપવામાં આવી છે. બંને નાગપુરથી આવે છે. સૌથી સારુ પરફોર્મેંન્સવાળા મિનિસ્ટરોમાં ભાજપના સૌથી મહત્વના બોર્ડમાંથી હટાવવા બદલ સૌ કોઈ આશ્ચર્યચકિત છે. હવે નીતિન ગડકરીની નારાજગી સામે આવવા લાગી છે. આજે (રવિવારે) એસોસિએશન ઓફ કંસલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સ દ્વારા આયોજીત કરવામાં આવેલા કાર્યક્રમ NATCON 2022 માં ચીફ ગેસ્ટ તરીકે તેમણે જે સંબોધન કર્યુ તેમા સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
વિકાસના કામમાં મોડુ થવા પર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાની જ પાર્ટીની સરકારનો ઘેરાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે, પણ તે સમય પર કેવી રીતે પુરા કરવા, તેના પર ધ્યાન આપવાની જરૂર છે. સરકારની સૌથી મોટી સમસ્યા એ છે કે, તે સમયસર નિર્ણય લેતી નથી. આવું કહેતા નીતિન ગડકરીએ એક રીતે પોતાની જ સરકારની ખેંચી લીધી હતી.
Addressing ‘NATCON 2022’ organised by the Association of Consulting Civil Engineers, Mumbai https://t.co/XzbWkbhZqQ
ગડકરીને કઈ વાતની મળી સજા કે આટલો ગુસ્સો વ્યક્ત કરવો પડ્યો
નીતિન ગડકરી વિશે એક વાત સૌ કોઈને ખબર છે કે તેઓ પોતાની વાત બિંદાસ રજૂ કરે છે અને કોઈના પણ ખચકાતા નથી. સાથે જ તેઓ એક નિર્ભિક અને મોદી સરકારમાં સૌથી સારુ કામ કરનારા મંત્રી છે. તેમણે પહેલા પણ એવા કેટલાય કામો કર્યા છે, જેનો રેકોર્ડ બનેલો છે. તેઓ આગળ પણ દાવો કરે છે કે, બે વર્ષમાં દેશમાં અમેરિકાથી પણ સારા રસ્તાઓ દેખાશે. તેમની વિકાસ દ્રષ્ટિ અને કામ કરવાની શક્તિને લઈને વિપક્ષ પણ સવાલ નથી ઉઠાવી શકતા. પણ જ્યારે પોતાની જ પાર્ટીએ તેમના સૌથી મહત્વના બોર્ડમાંથી બહાર કરી દીધા ત્યારે સવાલ તો અનાયાસપણે ઉઠી આવે છે !
પ્રોજેક્ટ તૈયાર કરવામા આવે છે, પણ તેને સમયસર પુરા કરવામાં આવતા નથી
ગડકરીએ કહ્યું કે, કંસ્ટ્રક્શનના ફીલ્ડમાં સમયનું ખૂબ જ મહત્વ હોય છે. ટાઈમ ઈઝ મની. પણ સરકારની સૌથી મોટી સમસ્યા એ છે કે, તે સમય પર નિર્ણય નથી લઈ શકતી. ભારતમાં કંસ્ટ્રક્શન ફીલ્ડનું ભવિષ્ય ઉજળુ છે. તેના માેટ આપણે દુનિયાની નવી ટેકનોલોજી અપનાવવાની જરુર છે. આપણા કંસ્ટ્રક્શન માટે ઉપયોગમાં લેવાતા મટીરિયલના વિકલ્પો પણ શોધવા પડશે, જેનાથી ક્વાલિટી કંપ્રોમાઈઝ કર્યા વિના ભાવ ઘટાડી શકાય.
પ્રોજેક્ટમાં મોડુ થાય તો પૈસાના રોદણા રોવાના, જરૂરી છે ટાઈમિંગ પર ધ્યાન આપવું
ગડકરીએ કહ્યું કે, આપણી પાસે પૈસાની કમી નથી. બેંક જરૂરિયાત પ્રમાણે પૈસા આપવા તૈયાર છે. સવાલ માનસિકતાનો છે. પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે. પણ તે સમયસર પુરા થઈ શકતા નથી. તેનાથી ક્યારેક ક્યારેક તકલીફો ઊભી થાય છે. હું એ વાત પર ઘ્યાન આપવા માગુ છું કે, પ્રોજેક્ટ જ્યારે તૈયાર થઈ રહ્યા હોય છે, ત્યારે સમયસર કેવી રીતે પુરા થાય તેની પણ તૈયારી જુઓ. હાલમાં આપણને વર્ષે 40 હજાર કરોડ રૂપિયાની આવક થાય છે. 2024 સુધી તે વધીને 1 લાખ 40 હજાર કરોડ થઈ જશે. ત્યારે આવા સમયે સમયસર પ્રોજેક્ટ પુરા હોવાની જરૂરિયાતને સમજવી ખૂબ જરૂરી છે.