કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં જણાવ્યું કે, 'ડિસેમ્બર 2023 સુધીમાં ભારતીય નાગરિકો ચીન કે નેપાળમાંથી પસાર થયા વિના કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકશે.'
હવે કૈલાશ માનસરોવર જવા ચીન કે નેપાળમાંથી પસાર નહીં થવું પડે : ગડકરી
ડિસેમ્બર 2023 સુધીમાં કામકાજ થઇ જશે પૂર્ણ : ગડકરી
શ્રીનગર અને દિલ્હી અથવા મુંબઈ વચ્ચેની મુસાફરીના સમયમાં થશે ભારે ઘટાડો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે સંસદમાં જણાવ્યું કે, ડિસેમ્બર 2023 સુધીમાં ભારતીય નાગરિકો ચીન કે નેપાળમાંથી પસાર થયા વિના કૈલાશ માનસરોવરની યાત્રા (Kailash Mansarovar Yatra) કરી શકશે. માર્ગ અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું કે, ઉત્તરાખંડનાં પિથોરાગઢથી એક રસ્તો બનાવવામાં આવી રહ્યો છે કે જે સીધો માનસરોવર તરફ જશે. તેઓએ કહ્યું કે, ઉત્તરાખંડમાંથી પસાર થતો માર્ગ ન તો માત્ર સમય જ ઘટાડશે પરંતુ હાલના ટ્રેકથી વિપરીત મુસાફરોને સરળ માર્ગ પણ આપશે.
ગડકરીએ સંસદમાં એમ પણ કહ્યું કે, તેમનું મંત્રાલય જમ્મુ-કશ્મીર (Jammu Kashmir) માં રોડ કનેક્ટિવિટીનું વિસ્તરણ વધારી રહ્યું છે, જેનાથી શ્રીનગર અને દિલ્હી અથવા મુંબઈ વચ્ચેની મુસાફરીના સમયમાં ભારે ઘટાડો થશે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સની કિંમત 7,000 કરોડ રૂપિયા છે.
જમ્મુ-કશ્મીરમાં ચાર સુરંગો પર કામ શરૂ
તેઓએ કહ્યું કે, “ચાર ટનલ – લદ્દાખથી કારગિલ, કારગીલથી ઝેડ-મોર, ઝેડ-મોરથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. Z- મોડ તૈયાર થઈ રહ્યો છે. જોજિલા ટનલનું કામ પહેલેથી જ ચાલી રહ્યું છે. વર્તમાનમાં અંદાજે લગભગ 1,000 કર્મચારીઓ સાઇટ પર છે, તે પણ માઇનસ એક ડિગ્રી તાપમાનમાં. મે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2024 ની સમયમર્યાદા આપી છે."
શ્રીનગરથી મુંબઇ માત્ર 20 કલાકમાં પહોંચી શકાશે
કેન્દ્રીય બજેટ વર્ષ 2022-23 માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિયંત્રણ હેઠળની અનુદાન માટેની માંગણીઓ પરની ચર્ચાના જવાબમાં ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, જોજિલા ટનલ 2026 સુધીમાં પૂર્ણ થવાની હતી પરંતુ તે પૂર્ણ થવી જોઈએ. 2024 પહેલાં પૂર્ણ કરી દેશે. તેઓએ રાજ્યમાં બની રહેલા રોડ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં તેઓએ એવો દાવો કર્યો હતો કે, આ વર્ષના અંત સુધીમાં શ્રીનગરથી મુંબઈ માત્ર 20 કલાકમાં પહોંચી શકાશે.
કાશ્મીરની સુંદરતાનો ઉલ્લેખ કરતા ગડકરીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે જોજિલા ટનલની મુલાકાત લેવા વિનંતી કરી હતી. કૈલાશ માનસરોવર તીર્થયાત્રા હિંદુઓની સાથે-સાથે જૈન અને બૌદ્ધ ધર્મના લોકો માટે ધાર્મિક મહત્વ ધરાવે છે.