કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુંકે, કોરોના સંકટ હવે વધુ લાંબો સમય સુધી નહીં રહે, આ વાત તેમણે ગુજરાત જન સંવાદ રેલીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી કરી હતી. આ સાથે ગડકરીએ દેશની સીમાઓ પર ચાલી રહેલા વિવાદને લઇને પણ નિવેદન આપ્યું હતું કે, અમે માત્ર શાંતિ ઇચ્છીએ છીએ.
ગુજરાતમાં ભાજપે યોજી વર્ચ્યૂઅલ જનસંવાદ રેલી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,કોરોના સંકટ હવે વધુ લાંબો સમય સુધી નહીં રહે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ રેલીમાં કહ્યું હતું કે, કોરોના સંકટ હવે લાંબો સમય સુધી નહીં રહે, આપણા વૈજ્ઞાનિકો અને અન્ય રાષ્ટ્રોના વૈજ્ઞાનિકો આ મહામારીની વેક્સિન બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે, ટૂંક સમયમાં આ કોરોના મહામારીની વેક્સિન આપણી સામે હશે.
The corona crisis will not last long. Our scientists & scientists in other countries are working day and night to develop the vaccine. I am confident that we will get the vaccine very soon: Union Minister Nitin Gadkari at 'Gujarat Jan Samvad' rally via video conference pic.twitter.com/NwGbSRLACB
Pakistan is on one side of our country, China on the other side. We want peace & non-violence. We never tried to snatch the land of Bhutan or Bangladesh. We don't want the land of Pakistan or China either. The only thing we want is peace: Union Minister Nitin Gadkari pic.twitter.com/Mk0fqg224K
ઉલ્લેખનીય છે કે, સરહદ વિવાદના મુદ્દે ગડકરીએ વધુમાં કહ્યું, 'પાકિસ્તાન આપણા દેશની એક તરફ છે અને બીજી બાજુ ચીન છે. અમને શાંતિ અને અહિંસા ઇચ્છીએ છે. અમે ક્યારેય ભૂટાન કે બાંગ્લાદેશની જમીન કબજે કરવાનો પ્રયાસ કર્યો નથી. અમને પાકિસ્તાન કે ચીનની જમીન પણ જોઈતી નથી. આપણને ફક્ત શાંતિ જોઈએ છે.