દેશમાં હાઇવે અને એક્સપ્રેસ વે નિર્માણને લઇને કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, આવનારા 5 વર્ષમાં સરકાર તેના પર 15 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહી છે. નિતિન ગડકરીએ કહ્યું કે, સરકાર વૈશ્વિક સ્તરનું માળખાગત ઢાંચો બનાવવા પર ધ્યાન આપી રહી છે.
ગડકરીએ કહ્યું, અમે રાજમાર્ગો અને પરિવહન ક્ષેત્રોમાં ગત પાંચ વર્ષોમાં સંયુક્ત રૂપે 17 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. 22 ગ્રીન એક્સપ્રેસ સહીત વૈશ્વિક સ્તરના રસ્તાઓના નિર્માણ માટે આવનારા 5 વર્ષમાં માત્ર રાજમાર્ગ ક્ષેત્રમાં 15 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
ફાસ્ટેગથી દર વર્ષે થશે 8000 કરોડ રૂપિયાની કમાણી
તેઓએ કહ્યું, ઇ-ટોલના અમલમાં આવ્યાની સાથે રોડ ટેક્સથી વાર્ષિક કમાણી 8000 કરોડ રૂપિયાએ પહોંચવાનું અનુમાન છે. જ્યારેથી ફાસ્ટેગ સિસ્ટમ અનિવાર્ય થઇ છે.
ચારધામ પરિયોજના માટે 12,000 કરોડ
મંત્રાલય માટે હવે પછીનો એજન્ડા 12,000 કરોડ રૂપિયાની ચારધામ પરિયોજના પૂરી કરવાનો છે. તેના હેઠળ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી માટે બાહરમાસ સંપર્ક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.
બનશે 26000 કિલોમીટર લાંબો આર્થિક કોરિડોર
ભારતમાલાનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ પરિયોજના હેઠળ મંત્રાલય દ્વારા 26200 કિલોમીટર લાંબો આર્થિક કોરિડોર, 8000 કિલોમીટર આંતરિક કોરિડોર, 7500 કિલોમીટર ફીડર માર્ગ, 5300 કિલોમીટર સીતાવમર્હી અને આંતરરાષ્ટ્રીય સંપર્ક રોડનું નિર્માણ કરાશે.