કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે કોરોના વાઈરસ કેટલો ખતરનાક બનશે અને ક્યાં સુધી ચાલશે તેની કોઈ ગેરન્ટી નથી.
નીતિન ગડકરી કોરોના પર બોલ્યાં
ઘેર ઘેર કોરોનાના દર્દીઓ છે
આગામી 15 દિવસ કે 1 મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ
નીતિન ગડકરીએ જણાવ્યું કે ઘેર ઘેર કોરોનાના દર્દીઓ છે અને આગામી 15 દિવસ કે 1 મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ છે. લોકોએ સારુ વિચારવું જોઈએ અને સૌથી ખરાબ માટે તૈયાર રહેવું જોઈએ. આ મહામારીને નાથવા લાંબાગાળાની વ્યવસ્થા કરવી જોઈએ.
નાગપુરમાં 100 બેડવાળી કોવિડ કેન્દ્રનું ઉદ્ધાટન કરતા ગડકરીએ જણાવ્યું કે સ્થિતિ અત્યંત ગંભીર છે અને કોઈને ખબર નથી કે ક્યાં સુધી ચાલશે.
આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા
એક મીડિયા રિપોર્ટ મુજબ કોરોના જે રીતે વધી રહ્યો છે. તેને જોતા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અપ્રિલના મહિનામાં તે સૌથી ભયંકર સાબિત થવાનો છે. એક ન્યૂઝ ચેનલે પોતાના એક શોમાં જે મોર્ડલથી આ પ્રિડિક્શન કર્યુ છે તે મુજબ એપ્રિલ એટલે કે આ મહિનામાં દર રોજ 5 લાખ કેસ આવી શકે છે અને લગભગ 3થી 4 હજાર મોત થઈ શકે છે. એટલું જ નહીં દર રોજ 25 હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. જેમાં અંદાજો લગાવાઈ રહ્યો છે કે આ ચાર અઠવાડિયા ભારત માટે મુશ્કેલી ભર્યા છે.
વિશાખાપટ્ટનમથી થઈ રહ્યો છે ઓક્સિજનનો સપ્લાય
નાગપુરના સાંસદ ગડકરીએ જણાવ્યું કે એમ્સ નાગપુરમાં 300 બેડ તૈયાર કરાઈ રહ્યાં છે અને હોસ્પિટલો માટે વિશાખાપટ્ટનમથી ઓક્સિજનો સપ્લાય પૂરો પાડવામાં આવી રહ્યો છે.
લોકડાઉન છતાં કોરોનાની રફ્તાર અટકવાની નથી
તેવામાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક જોવા મળી રહી છે. પણ સૌથી વધારે કે મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ બહુ ખરાબ છે. જેના કારણે અહીં 15 દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જો કે ચિંતાજનક વાત એ છે કે લોકડાઉન છતાં કોરોનાની રફ્તાર અટકવાની નથી. અહીં વધારે ભયંકર સ્થિતિ જોવા મળી શકે છે.