રસ્તાઓના સમારકામની બેદરકારી પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ
આ ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે કે, નવા મોટર વ્હીકલ એક્ટ 2019ના હેઠળ માત્ર સામાન્ય લોકોને જ પેનલ્ટી અને દંડની રાશિ નથી વધારવામાં આવી પરંતુ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા ખરાબ રસ્તાઓ બનાવવા પર દંડની રાશિ વધારવામાં આવી છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી અનુસાર, હવે રસ્તાઓ બનાવનાર કોન્ટ્રાક્ટર પર સરકાર ધ્યાન રાખશે. જો રસ્તાના કોન્ટ્રાક્ટર ખરાબર રસ્તા, ખરાબ ડિઝાઇન, રસ્તાનું નિર્માણના દરમિયાન ખરાબ સામગ્રીનો ઉપયોગ કરશે તો તેમના વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે. રસ્તાઓ બનાવવા માટે અથવા તો સમારકામ માટે કોઇ બેદરકારી રાખવામાં આવશે તો 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
વાહન વ્યવહારના નવા નિયમો લાગૂ થયા પછી નીતિન ગડકરી સતત એક્ટિવ મોડમાં દેખાઇ રહ્યા છે. પરિવહન મંત્રી સતત નિયમોને લઇને ટ્વીટ કરી રહ્યા છે. આ પહેલા તેમણે ટ્વીટ કરીને કહ્યુ કે, ''ફૉલ્ટી કમ્પોનેટ અને વ્હીકલ નિર્મતાઓ પર પણ પેનલ્ટી લગાડવામાં આવશે.''
આ પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે નવા મોટર વ્હીકલ એક્ટ, 2019 વિશે ખોટી સૂચનાઓ ફેલવનારા મીડિયાને ફટકાર લગાવી હતી. પોતાના ટ્વીટમાં નીતિનગડકરીએ એક સમાચાર ચેનલને પોસ્ટને રજૂ કરીને કેપ્શનમાં લખ્યુ કે, ''મને માફ કરો, આજે ફરી એક વખત મીડિયાના અમારા મિત્રોએ રસ્તા સુરક્ષા કાયદા જેવા ગંભીર વિષયનો મજાક ઉડાવી.હું અનુરોધ કરું છું કે જે લોકોની જિંદગીથી જોડાયેલા આ પ્રકારના ગંભીર મામલા પર લોકોની વચ્ચે ખોટા સમાચાર ના ફેલાવે.''