કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ઓટો મેન્યુફેક્ચરર્સ દ્વારા દરેક ગાડીઓમાં 6 એરબેગ્સ લગાવવાની અપીલ કરી છે.
નીતિન ગડકરીનો મોટો નિર્ણય
ઓછામાં ઓછા 6 એરબેગ લગાવવાની અપીલ
ગાડીઓના દરેક વેરિઓન્ટ અને સેગમેન્ટમાં લાગુ કરવામાં આવે આ નિયમ
કેન્દ્રીય સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટો નિર્ણય કર્યો છે. સડક દુર્ગટનામાં થતા મૃત્યુ પર રોક લગાવવા માટે નીતિન ગડકરીએ દરેક વાહન નિર્માતાઓ પાસે પોતાની ગાડીઓના દરેક વેરિઓન્ટ અને સેગમેન્ટમાં ઓછામાં ઓછા 6 એરબેગ લગાવવાની અપીલ કરી છે.
નીતિન ગડકરીએ કર્યું ટ્વીટ
નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં સિયામના સીઈઓ માટે એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. તે સમયે ગડકરીએ વાહન નિર્માતાઓ પાસે સડક દુર્ઘટનામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણી સુચનાઓ આપી છે.
નીતિન ગડકરીએ લીધી મુલાકાત
નીતિન ગડકરીએ ઓટો ઈન્ડસ્ટ્રીના સેલ્સ એન્ડ પરફોર્મન્સની પણ મુલાકાત લીધી. તેના સાથે જ કેન્દ્રીય મંત્રીએ ઓટો ઈન્ડસ્ટ્રી પાસે એક વર્ષની અંદર ઈન્ડિયન માર્કેટમાં 100% ઈથેનોલ અને ગેસોલીન પર ચાલવામાં સક્ષમ ફ્લેક્સ-ઈંધન વાહનો લાવવા માટે કહ્યું.
મીટિંગમાં શું થયો નિર્ણય?
જોકે આ મીટિંગમાં CAFE 2ના નિયમો અને BS VIના ફેઝ 2ને ટાળવા પર કોઈ નિર્ણય નથી થયો. ઓટો ઈન્ડસ્ટ્રીએ CAFE 2 normsને 2023 સુધી ટાળવા અને BS VIના ફેઝ 2ને 2024 સુધી ટાળવાની માંગ કરી છે.