NITI આયોગની 8મી બેઠકમાં પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓને કેટલાક સંદેશ આપીને તેનું પાલન કરવાનું જણાવ્યું હતું.
પીએમ મોદીની આગેવાનીમાં મળી નીતિ આયોગની 8મી બેઠક
પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને આપ્યો એક સંદેશ
ડિજિટલ સેક્ટરમા ઘણુ કામ, આપણે તક ઝડપી લેવી પડશે
રાજધાની દિલ્હીમાં આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (જીસીએમ)ની 8મી બેઠક મળી હતી. આ બેઠકનો વિષય 'વિકસિત ભારત' હતો. આ બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હવે અર્થતંત્રના ટેક ઓફની સ્થિતિ છે. ટૂંક સમયમાં જ ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને એક સંદેશ પણ આપ્યો હતો.પીએમ મોદીએ કહ્યું કે, દુનિયા ભારત તરફ જોઈ રહી છે. ડિજિટલ સેક્ટરમાં ઘણું કામ થઈ રહ્યું છે. આપણી પાસે મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ છે. પીએમે મુખ્યમંત્રીઓને આ તકનો લાભ લેવા જણાવ્યું હતું. આપણે તક ઝડપી લેવી પડશે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે દુનિયાનું ધ્યાન ભારત પર છે.
PM Narendra Modi chaired the 8th Governing Council Meeting of NITI Aayog earlier today. It was attended by Chief Ministers/Lt.Governors representing 19 States and 6 UTs. PM stressed that the Centre, States and UTs should work as Team India and fulfil the dreams and aspirations of… pic.twitter.com/4MQrA4TwSn
Demography is in our favour not just in terms of the total number of people but also in terms of the number of youthful people. India will have about 20% of the world's working-age population in a couple of years and it is going to be the largest provider of working-age people… pic.twitter.com/7KekrbNgzz
140 કરોડ ભારતીયો માટે એક સમાન દ્રષ્ટિકોણ અને સમાન વ્યૂહરચના હોવી જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયો માટે એક સમાન વિઝન અને સામાન્ય રણનીતિ હોવી જોઈએ. આ દરમિયાન પીએમે લગભગ 50 હજાર અમૃત સરોવરની વાત કરી હતી. તેમણે શારીરિક શિસ્તની વાત કરી હતી અને કહ્યું હતું કે આપણે ભાવિ પેઢી પર બોજો ન નાખવો જોઈએ.
He said that NITI Aayog can play a critical role in helping States to develop their strategies for the next 25 years and align the same with the National Development Agenda. He urged the States and UTs to work with NITI Aayog so that the country can take a quantum leap towards…
રાજ્ય અને જિલ્લા સ્તરે પણ વિઝન હોવું જોઈએ: પીએમ મોદી
આ બેઠકમાં પીએમ મોદીએ સ્વચ્છતા અંગે પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે માત્ર રાષ્ટ્રીય દ્રષ્ટિ જ ન હોવી જોઈએ, રાજ્ય અને જિલ્લા સ્તરે વિઝન પણ હોવું જોઈએ. રાજ્ય સ્તરે ટીમોની રચના થવી જોઈએ.
Prime Minister mentioned that NITI Aayog is taking multiple initiatives for strengthening cooperative and competitive federalism like the Aspirational Districts Programme (ADP) and Aspirational Blocks Programme (ABP). Both these programmes showcase the power of working together…
જે મુખ્યમંત્રીઓ નથી આવ્યાં તેમની સાથે ભેદભાવ નહીં થાય
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રહ્મણ્યમે કહ્યું કે નીતિ આયોગ એક રાષ્ટ્રીય મંચ છે, જે લોકો નથી આવતા તેઓ સારી યોજના પરની ચર્ચાને ચૂકી જાય છે. એવું નથી કે જે લોકો જાણીજોઈને નથી આવી રહ્યા તેમનો અમે બહિષ્કાર કરીશું. આવું થતું નથી, આપણે સાથે મળીને કામ કરવું પડશે. જે લોકો નથી આવતા તેમની સાથે કોઈ ભેદભાવ નથી.
11 મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકમાં ન આવ્યાં
બીવીઆર સુબ્રહ્મણ્યમે કહ્યું કે નીતિ આયોગની બેઠકમાં ટોટલ 11 મુખ્યમંત્રીઓએ હાજરી આપી નથી. આ મુખ્યમંત્રીઓએ એક મહત્વની ચર્ચા ચૂકી ગયા હતા.