કેન્દ્ર સરકારે IDBI Bank તથા કેનરા બેન્કનું ખાનગીકરણ કરવાનો તખતો તૈયાર કર્યો હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.
IDBI Bank તથા કેનરા બેન્કનું ખાનગીકરણ કરવાનો તખતો તૈયાર
સરકારે સત્તાવાર રીતે બે બેન્કોના નામ જાહેર કર્યાં નથી
નીતિ આયોગે બે બેન્કો અને 1 વીમા કંપનીના નામો સરકારે સોંપ્યાં
થોડા સમયમાં જાહેરાત થવાની સંભાવના
જોકે સરકારે સત્તાવાર રીતે તો બે બેન્કોના નામ જાહેર કર્યાં નથી પરંતુ સૂત્રો અનુસાર આ બેન્કો IDBI Bank તથા કેનરા બેન્ક હોઈ શકે છે.
નીતિ આયોગે બે બેન્કો, 1 વીમા કંપનીની યાદી સરકારને સોંપી
પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળા નીતિ આયોગે ગુરુવારે કોર ગ્રુપ ઓફ સેક્રેટરી ઓન ડિસઈન્વેસ્ટમેન્ટને ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગીકરણ કરવામાં આવનાર જાહેર ક્ષેત્રની બેન્કોની યાદી સોંપી છે. 2021-22 ના બજેટમાં જાહેર કરવામાં આવ્યા પ્રમાણે, નીતિ આયોગે ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની બે બેન્કો તથા જાહેર ક્ષેત્રની એક વીમા કંપનીની પસંદગી કરીને તેની યાદી સરકારને સુપ્રત કરી છે. એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું કે અમે કોર ગ્રુપ ઓફ સેક્રેટરી ઓન ડિસઈન્વેસ્ટમેન્ટને જાહેર ક્ષેત્રની બે બેન્કોના નામ સૂચવી દીધા છે.
કર્મચારીઓના હિતને નુકસાન નહીં થાય, નાણામંત્રી કહી ચૂક્યા છે
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, બેંકોને અન્ય સરકારી બેંકો સાથે જોડવામાં આવી રહ્યી છે અથવા જે નાણાકીય કંપનીને સોંપવામાં આવી રહી છે તેના કર્મચારીઓના હિતને નુકસાન નહીં થાય.આ સાથે જ તેમણે જ કહ્યું કે, કર્મચારીઓની સેલેરી, સ્કેલ, પેન્શન, તેમની સર્વિસના પણ તમામ પાસાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. મંત્રીમંડળની બેઠક બાદ નાણાં પ્રધાને કહ્યું કે હું ખાતરી આપવા માંગુ છું કે સંસ્થાઓ બંધ થઈ રહી નથી કે વર્કર્સને નોકરીમાંથી કાઢી મુકાયા નથી. તેમણે કહ્યું હતું કે સરકાર ઉતાવળમાં બેંકોના મર્જ અને નાણાકીય સંસ્થાઓના ખાનગીકરણનો નિર્ણય નથી લઈ રહી. કેન્દ્ર તેમના સ્ટાફના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે.એસબીઆઇ જેવી ઘણી મોટી બેન્કોની જરૂર છે.
સીતારમણે કહ્યું કે ઘણી બેંકોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. કેટલીક બેન્કો સારી કામગીરી કરી રહી છે, પરંતુ અમને એવી બેંકોની જરૂર છે જે જરૂરિયાત મુજબ તેમનું કદ વધારી શકે. આપણને દેશની જરૂરિયાત પૂરી કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી ઘણી મોટી બેંકોની જરૂર છે.
બધી બેંકોનું ખાનગીકરણ નહીં થાય.
નાણાંમંત્રીએ કહ્યું હતું કે તમામ બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. બેંકોને મર્જ કરવાનો નિર્ણય તાત્કાલિક લેવામાં આવશે નહીં. અમે જાહેર સાહસિક નીતિની જાહેરાત કરી છે. તેના આધારે, અમે 4 વ્યવસાયિક ક્ષેત્રોને ઓળખ્યા છે જ્યાં સરકારની હાજરી રહેશે. હાજરી પણ એક આવશ્યકતા હશે અને તેમાં નાણાકીય સંસ્થા શામેલ હશે. આનો અર્થ એ થયો કે સરકારી સંસ્થાઓની પણ નાણાકીય ક્ષેત્રમાં હાજરી હશે.
ખાનગીકરણ થશે તો સ્ટાફના હિતોનું રક્ષણ કરવામાં આવશે
નાણાં પ્રધાને કહ્યું કે અમારે પાક્કુ કરવું પડશે કે ખાનગીકરણ કરવામાં આવશે તેવી નાણાકીય સંસ્થાઓના કર્મચારીઓના તમામ હિતો સુરક્ષિત રહેશે. અમે તેમને ફક્ત વેચાણ માટે નહીં વેચીએ. અમે ઇચ્છીએ છીએ કે નાણાકીય સંસ્થાઓ વધુ શેર મૂડી મેળવે અને વધુ લોકો તેમાં નાણાંનું રોકાણ કરે અને તેમને વધુ ટકાઉ બનાવે. અમે એમ પણ ઈચ્છીએ છીએ કે તેમનો સ્ટાફ તેમનું કાર્ય ચાલુ રાખે, જે તેઓ ઘણા વર્ષોથી કરે છે.