રવિવારે યોજાનારી નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો આ રાજ્યનાં મુખ્યમંત્રી બહિષ્કાર કરશે. તેમણે રાજ્યો પ્રત્યે કેન્દ્રના ભેદભાવપૂર્ણ વલણ સામે આ પગલું ભર્યું છે.
આજે PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક
તેલંગાણાના CM KCR નીતિ આયોગની બેઠકનો કરશે બહિષ્કાર
CM KCR નીતિ આયોગની બેઠકનો હિષ્કાર કરે તે દુર્ભાગ્યપૂર્ણ: નીતિ આયોગ
આજે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની સાતમી મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના અમલીકરણની સાથે સાથે તેલીબિયાં અને કઠોળની બાબતમાં દેશને આત્મનિર્ભર બનાવવા અને શહેરી વહીવટના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તો વળી તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) રવિવારે યોજાનારી નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો બહિષ્કાર કરશે.
KCR નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે
તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) રવિવારે યોજાનારી નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો બહિષ્કાર કરશે. તેમણે રાજ્યો પ્રત્યે કેન્દ્રના ભેદભાવપૂર્ણ વલણ સામે આ પગલું ભર્યું છે. આ સંદર્ભમાં કેસીઆરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું કે, હું વિરોધ રૂપે દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની 7મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો ભાગ બનીશ નહીં.
શું કહ્યું નીતિ આયોગે ?
કેસીઆરએ કહ્યું કે, રાજ્યો સાથે કેન્દ્રના ભેદભાવ અને તેમની સાથે સમાન ભાગીદારો તરીકે વર્તન ન કરવા સામે વિરોધ કરવા નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનું કોઈ ઔચિત્ય નથી. આ તરફ નીતિ આયોગે કહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રીનો નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. નીતિ આયોગની ટીમ હૈદરાબાદમાં કેસીઆરને મળી હતી અને રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
નીતિ આયોગ અનુસાર, છેલ્લા ચાર વર્ષમાં ભારત સરકારે તેલંગાણા રાજ્ય માટે જલ જીવન મિશન હેઠળ રૂ. 3982 કરોડ ફાળવ્યા હતા, પરંતુ રાજ્યએ માત્ર રૂ. 200 કરોડ ઉપાડવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત 2014-2015થી 2021-2022 દરમ્યાન PMKSY-AIBP-CADWM હેઠળ તેલંગાણાને 1195 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા હતા.
નીતિ આયોગે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેલંગાણાના મુખ્યમંત્રીએ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો. ગવર્નિંગ કાઉન્સિલ એ એક મંચ છે જ્યાં સર્વોચ્ચ રાજકીય નેતૃત્વ વિકાસના મુદ્દાઓની ચર્ચા કરે છે અને રાષ્ટ્રીય વિકાસ માટે યોગ્ય ઉકેલો પર સંમત થાય છે.