અમદાવાદના નિત્યાનંદ આશ્રમનો મામલે આજે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે છેવટે પીડિતાના પિતા જનાર્દન શર્મા સામે આવ્યા હતા અને આ સમગ્ર મામલા અંગે નિવેદન આપ્યુ હતુ જેમાં જનાર્દન શર્માએ એવા આક્ષેપ કર્યા છે કે, તેની દીકરી અને તેના પરિવારને જાનનો ખતરો છે. જો હું વધુ કંઈક બોલીશ તો મારા જાનનું જોખમ છે.
"હું કોઈનુ નામ લઈશ તો મને તકલીફ થશે"
મને મારી દીકરીને મળવા દો
મારા પરિવારને સતત ધમકીઓ મળી રહી છે
શું કહ્યુ નિત્યાનંદીતાના પિતાએ?
નિત્યાનંદીતાના પિતાએ આજે મીડિયા સમક્ષ આવીને પોતાને તેમજ પરિવારને જાનનું જોખમ હોવાની રજૂઆત કરી હતી. વધુમાં જનાર્દન શર્માએ જણાવ્યુ હતુ કે, મને મારી દીકરી સાથે નથી મળવા દેતા. મારી પુત્રી મારી ઉપર શા માટે આરોપ લગાવે? મારી પુત્રીએ આજે સવારે વીડિયો રીલીઝ કર્યો છે.
"હું કોઈનુ નામ લઈશ તો મને તકલીફ થશે"
મારી દીકરીને કંઈપણ થવુ ન જોઈએ. હું કોઈનું નામ લઈશ તો મારો પરિવાર હેરાન થશે. મારા પરિવારને સતત ધમકીઓ મળી રહી છે. "મને મારવા માટે લોકોને બોલાવવામાં આવ્યા છે"
મને મારી દીકરીને મળવા દો
મારી દીકરીને ધમકાવવામાં આવી રહી છે. આશ્રમમાં કંઈક ગરબડ છે. મારી દીકરીને મળવા નથી દેવામાં આવતા. હું મીડિયા કે પોલીસ તો પછી આવી પણ હું સીધો મારી દીકરીને મળવા આવ્યો છું. મને મારી દીકરીને મળવા દો.
શું હતો મામલો?
જનાર્દન શર્માની દીકરી નંદીતાને સ્વામી નિત્યાનંદના આશ્રમમાં જબરજસ્તી રોકી રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો અને તમિલનાડુથી તેઓ ખાસ તેમની દીકરીને મળવા અમદાવાદ આશ્રમ આવ્યા હતા પરંતુ તેમની 3 દિકરીઓ અને એક દીકરો તમામ નિત્યાનંદ સ્વામી અમદાવાદ આશ્રમમાં લઈને આવી ગયા હતા. જ્યાં ચાઈલ્ડ વેલફેર કમિટિની મદદથી તેમણે તેમની સૌથી નાની દીકરી અને દીકરાને તો પરત મેળવ્યા પણ તેમની બે દીકરીઓ એક 19 વર્ષની અને 21 વર્ષની દીકરી ગુમ થઈ ગઈ હતી અને તેમને મળવા દેવામાં આવ્યા નહતા. આ મામલે નિત્યાનંદના ગોરખધંધા ઉઘાડા પડી ગયા હતા.