લંપટ સ્વામી નિત્યાનંદના છેડા રાજકારણીઓથી લઈને IAS સુધી અડી રહ્યાં છે. હાલ રેલો DPS ના સંચાલિકા સુધી પહોંચતા રાજ્યના એક મંત્રી અને સિનિયર IAS ઓફિસર મેદાને પડ્યાં હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. લંપટ નિત્યાનંદના વિવાદમાં યુવા અનસ્ટોપેબલ NGOના અમિતાભ શાહની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.
રાજ્ય સરકારના એક મંત્રી પણ મંજૂલા શ્રોફને બચાવવા મેદાને
ઘણા મંત્રી નિત્યાનંદને શરણે પહોંચ્યા હતા
કોણ છે આ IAS અધિકારી
સિનિયર IAS અધિકારી પણ છાવરી રહ્યાં છે નિત્યાનંદ આશ્રમના વિવાદને
અમિતાભ શાહે નિત્યાનંદ બાબાનો સંપર્ક રાજ્યના નેતા અને IAS અધિકારીઓને કરાવ્યો હતો. સરકારના એક મંત્રીએ પણ પોતાની રાજકિય કારકિર્દીને બચાવવા નિત્યાનંદ બાબા સાથે યજ્ઞ કરાવ્યો હતો.
કોણ છે આ IAS અધિકારી
સિનિયર IAS અધિકારી હાલ નિત્યાનંદ કેસમાં બાબા અને મંજુલા શ્રોફને બચાવવા માટે સક્રિય બન્યા છે. સિનિયર IAS અધિકારી દક્ષિણ ભારતીય છે, કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન રહી ચૂક્યા છે. અમિતાભ શાહનું નિત્યાનંદ સાથે સીધુ કનેકશન સામે આવ્યુ છે. અમિતાભ શાહના પત્ની રશ્મી અમિતાભ શાહ નિત્યાનંદની મોટી ભક્ત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નિત્યાનંદની નજીકની વ્યક્તિઓ સાથે રશ્મી શાહના ફોટાઓને લઈને અમિતાભ અને તેમની પત્ની બંને શંકાના દાયરામાં આવી ગયા છે.
રાજ્ય સરકારના એક મંત્રી પણ મંજૂલા શ્રોફને બચાવવા મેદાને
રાજ્ય સરકારના એક મંત્રી પણ મંજુલા શ્રોફને બચાવવા સિનિયર IAS અધિકારીએ સંપર્ક કર્યો હતો. રાજ્ય સરકારના એક મંત્રીનો સંપર્ક અમીતાભ શાહે કરતા મંજુલા શ્રોફને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.