નિઠારીકાંડના અંતિમ કેસમાં ગાઝિયાબાદ CBI સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપી સુરેન્દ્ર કોલીને 14 મી વખત ફાંસીની સજા સાંભળવવામાં આવી છે.
નિઠારીકાંડના વધુ એક કેસનો ચુકાદો
સુરેન્દ્ર કોલીને અગાઉ 13 વખત થઈ ચૂકી છે ફાંસી
ગાઝિયાબાદની વિશેષ CBI કોર્ટ દ્વારા 14 મી વખત ફાંસીની સજા
નિઠારીકાંડના અંતિમ કેસમાં ગાઝિયાબાદ CBI સ્પેશ્યલ કોર્ટ દ્વારા અપવામાં આવેલ ચુકાદામાં દુષ્કર્મ બાદ હટ્યાના કેસમાં સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સાંભળવવામાં આવી છે. આ સાથે આરોપી સુરેન્દ્ર કોલીને 14 માં કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય ત્રણ કેસમાં પુરાવાના અભાવે તેને છોડી દેવામાં આવ્યો હતો.
બળાત્કાર અને હત્યાના કેસમાં થઈ હતી સજા
2007 ના વર્ષમાં નોઈડા ખાતે આવેલા પાંઢેરના નિવાસસ્થાને કુમળી વયની કેટલીક બાળાઓ અને મહિલાઓ પર બળાત્કાર આચરવામાં આવ્યા બાદ તેમાની કેટલીક બાળકીઓની હત્યાઓ થઈ હતી. આ ચકચારી કેસમાં સુરેન્દ્રને આજે ફરી ફાંસીની સજા થઈ હતી.
સહઆરોપી મોનીન્દર પંઢેરને સાત વર્ષની સજા
આ કેસમાં દેહવ્યાપારના કેસમાં સુરેન્દ્રના સહઆરોપી મોનીન્દર પંઢેરને સાત વર્ષની સજા અને ચાર હજારનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે સુરેન્દ્ર કોલી પર 40 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
શું છે આખો કેસ?
આ કેસમાં 7 મે 2006 ના રોજ નિઠારીની એક યુવતીને પંઢેર દ્વારા નોકરી આપવાના બહાને બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ આ યુવતી ઘરે પાછી આવી નહોતી. યુવતીના પિતા નોઈડના સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં ફરિયાડ નોંધવવા ગયા હતા. તેમણે ખોવાયની ફરિયાડ નોંધાવ્યા બાદ 29 ડિસેમ્બર 2006 માં નિઠારીમાં મોનીન્દર પંઢેરની કોઠીની પાછળ નાળામાંથી પોલીસને 19 બાળકો અને મહિલાઓનાં કંકાલ મળ્યા હતા. પોલીસે મોનીન્દર પંઢેર અને તેના નોકર સુરેન્દ્ર કોલીની ધરપકડ કરી હતી અને બાદમાં તમામ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. યુવતીના અપહરણ અને દુષ્કર્મ તેમજ હત્યાના કેસમાં નિઠારીકાંડ સંબંધિત મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.