બધુ સારું રહ્યું તો આ વર્ષે ગરમીમાં રામાયણ ફિલ્મનુ શુટિંગ શરૂ થઇ જશે. જો કે, અત્યારે નિર્માતા કાસ્ટિંગમાં વ્યસ્ત છે અને પોતાના હિસાબ મુજબ સેલિબ્રિટીઓને કાસ્ટ કરવાના પ્રયાસમાં છે.
દંગલ ફેમ નિર્દેશક નિતેશ તિવારી રામાયણના પ્રોજેક્ટ પર કરી રહ્યાં છે કામ
રાવણના પાત્ર માટે અભિનેતા યશને કાસ્ટ કરવાની નિર્માતાને ઈચ્છા
યશે આ રોલની ઑફર પર કોઈ નિર્ણય કર્યો નથી
આ વર્ષે ગરમીમાં રામાયણ ફિલ્મનુ શુટિંગ શરૂ થઇ જશે!
ટીવી પર રામાયણનુ પ્રસારણ ઘણી વખત થયુ છે. લોકો દરેક વખત રામાયણને પસંદ કરે છે, પરંતુ મોટા પડદે મોટા સ્ટાર્સની સાથે રામાયણ ચાલશે. જેની રાહ પ્રશંસકો ઘણા વર્ષથી જોઇ રહ્યાં છે. જો કે, હવે લાગી રહ્યું છે કે પ્રશંસકોની આ માંગ જલ્દી પૂરી થવાની છે. ખરેખર, દંગલ ફેમ નિર્દેશક નિતેશ તિવારી રામાયણના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. તેઓ પોતાની ફિલ્મ માટે પાત્રની તલાશમાં જોડાયા છે.
રામાયણમાં રાવણના પાત્ર માટે અભિનેતા યશને કાસ્ટ કરવાની નિર્માતાને ઈચ્છા
રિપોર્ટસ મુજબ ફિલ્મ રામાયણમાં રાવણના પાત્ર માટે નિર્માતા કેજીએફ ફેમ અભિનેતા યશને કાસ્ટ કરવા માંગે છે. મીડિયાના એક રિપોર્ટ મુજબ તેના માટે નિર્માતા અભિનેતાના ટચમાં છે અને તેમને ફિલ્મમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કેજીએફ 2ના બ્લૉકબસ્ટર થયા બાદ યશની માંગ રાતોરાત વધી ગઇ છે. રિપોર્ટસ છે કે તેમની પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ્સ છે, તેથી તેમણે અત્યાર સુધી આ રોલની ઑફર પર કોઈ નિર્ણય કર્યો નથી.
પ્રશંસકો માટે ખુશખબરી એવી પણ છે કે અભિનેતા રણબીર કપૂર નિતેશ તિવારીની આ ફિલ્મમાં ભગવાન રામનુ પાત્ર નિભાવી શકે છે. જો કે, અત્યાર સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ જાણકારી સામે આવી નથી. પણ રિપોર્ટ્સમાં જે વાત બહાર આવી છે, તેને જાણ્યા બાદ પ્રશંસકો અવશ્ય ઉત્સાહિત થઇ રહ્યાં છે.