અંબાણી પરિવારના મુખ્ય સુરક્ષા અધિકારીએ પૂર્વ તપાસ એજન્સી એટીએસને જણાવ્યું હતું કે તેમણે ઘણા વર્ષો સુધી સેનામાં કામ કર્યું છે.
અન્ટીલિયા વિસ્ફોટક મામલા બાદ રદ્દ થઈ હતી નીતા અંબાણીની ગુજરાત ટ્રિપ
મુખ્ય સુરક્ષા અધિકારી અને મુંબઈ પોલીસના ડીસીપીના કહેવા પર યાત્રા થઈ હતી રદ્દ
એન્ટીલિયાથી થોડી દુર મળી હતી સ્કોર્પિઓ
એન્ટીલિયા વિસ્ફોટક મામલામાં એનઆઈએની ચાર્જશીટ ફાઈલ થયા બાદ મુખ્ય જાણકારીઓ સામે આવી હતી. ચાર્જશીટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપની સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળતા એક રિટાયર્ડ કર્નલે 25 ફેબ્રુઆરી 2021ના દિવસે નીતા અંબાણીને તેમની મુંબઈથી જામનગરની ટ્રીપને કેન્સલ કરવાનો આગ્રહ કર્યો હતો.
હકીકતે સિક્યોરિટી ચીફે મુકેશ અંબાણીના ઘરે થેડી દૂર એક અજાણી સ્કોર્પિયોને જોયા બાદ તેમને એ સલાહ આપી હતી. આ સ્કોર્પિયો પર નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. જે અંબાણીના સુરક્ષા કાફલા ગાડીઓમાંથી એક હતી.
વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો
આ સ્કોર્પિયોમાં જિલેટિનની છડીઓ હતી. તે ઉપરાંત એક ધમકી ભરેલો લેટર મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના નામે આવ્યો હતો. સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર લાવારિસ સ્કોર્પિયોને જોયા પહેલા એન્ટીલિયાથી કાર માલિક રોડ સુધી ગયા હતા. જ્યાં તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી જામનગરના એક કર્મચારીના ઘર પર તેમની વિધવાને મળવા ગયા હતા. જેમનું હાલમાં જ હાર્ટ એટેકના કારણે મોત થયું છે.
કેન્સલ થઈ ગુજરાત ટ્રિપ
મુખ્ય સુરક્ષા અધિરાપી અને સાક્ષીઓ અનુસાર તેમણે એ વાતની સુચના મુંબઈ પોલીસને આપી દીધી. આ ઉપરાંત તેમણે પોતે આસપાસના લોકો અને પડોસીઓ સાથે આ ગાડી વિશે પુછપરછ કરી હતી. જોકે સ્કોર્પિયોમાં જિલેટિનની લાકડીઓ અને અંબાણી પરિવાર માટે લખવામાં આવેલા ધમકી ભરેલા પત્રો બાદ તેમણે તરત તેની જાણકારી મુકેશ અંબાણીને આપી. ત્યાર બાદ નીતા અંબાણીના પહેલાથી નક્કી ગુજરાતના જામનગર પ્રવાસને રદ્દ કરવામાં આવ્યો.
એનઆઈએને આપેલા પોતાના નિવેદનમાં તેમણે એ પણ જણાવ્યું કે પોલીસ અધિકારીઓએ તેમને જણાવ્યું કે જિલેટીનની લાકડીઓ અસેમ્બલ ન હતી કરવામાં આવી. આ પહેલા પણ અંબાણી પરિવારને ધમકીઓ આવતી રહી છે. જેનો સિલસિલો ઓક્ટોબર 2020થી શરૂ થયો હતો. જોકે આ ધમકી ભરેલા પત્રો, જિલેટિનની લાકડીઓ અને સ્કોર્પિયોને લઈને અંબાણી પરિવારને કોઈ પણ વ્યક્તિ પર સંદેહ નથી.