કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ મીટીંગ એટલેકે AGM 2020 હાલમાં ઓનલાઈન યોજાઈ રહી છે. જેનું વિવિધ પ્લેટફોર્મ્સ પરથી લાઈવ પ્રસારણ પણ થઈ રહ્યું છે. મંગળવારે આ AGMમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને ગ્રુપના નોન એકઝી. ડાયરેક્ટર નીતા અંબાણીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણેપોતાના સૌથી મોટા સ્વપન વિષે પણ ખુલીને વાતચીત કરી હતી.
રિલાયન્સ AGM 2020માં પ્રથમ વાર નીતા અંબાણીનું સંબોધન
"ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થાય તે મારું સૌથી મોટું સ્વપ્ન"
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નોન એક્ઝી. ડાયરેક્ટર છે નીતા અંબાણી
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન છે મિસિઝ અંબાણી
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટીના મેમ્બર પણ છે નીતા
નીતા અંબાણી પહેલી વાર AGMમાં બોલ્યા
રિલાયન્સની AGMમાં અત્યાર સુધીમાં નીતા અંબાણી ક્યારેય પણ બોલ્યા નથી. પરંતુ આજે તેઓએ રિલાયન્સ ફાઉન્ડેશન અંગે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું તમામ હેલ્થકેર વર્કર્સનો આભાર માનું છુ. તમારા સહયોગથી આપણે કોરોના સામેની લડાઈ જીતીશું.
તેમના જીવનનું આ છે સપનું
નીતા અંબાણીએ રિલાયન્સની 43મી AGMમાં જણાવ્યું હતું કે તેમના જીવનનું સૌથી મોટું સ્વપ્ન ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરાવવાનું છે જેને લઈને તેઓ ખુબ જ ઉત્સાહિત છે અને તે દિશામાં ખુબ જ ઝડપથી તેઓ કામ કરી રહ્યાં છે. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે તેઓ ભારતના એથ્લીટસને વિશ્વસ્તરીય અન્ય ખેલાડીઓ સાથે સ્પર્ધા કરતા જોવા માંગે છે. જે માટે રિલાયન્સ ફાઉન્ડેશન પણ ખુબ જ ઝડપથી કામ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મિસિઝ અંબાણી ભારત તરફથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટીમાં સ્થાન પામનાર પ્રથમ મહિલા બન્યા હતાં. આ માટે તેમને વર્ષ ૨૦૧૬ના જૂન મહિનામાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટીના એક્ઝીક્યુટીવ બોર્ડ દ્વારા નોમીનેટ કરવામાં આવ્યા હતા જે બાદ તેમની બ્રાઝિલના રીઓ ડે જનેરીઓમાં યોજાયેલા ૧૨૯માં IOC અધિવેશનમાં ચૂંટણી કરવામાં આવી હતી. તેમના નેતૃત્વ હેઠળનું રિલાયન્સ ફાઉન્ડેશન દેશમાં વિવિધ સંસ્થાઓ સાથે મળીને ઘણા બધા ખેલ પ્રોજેક્ટ્સ પર કામગીરી કરી રહ્યુ છે. જેમાં ટ્રેનીંગ માટેની સવલતો અને કોચીસ વગેરે પર પણ ધ્યાન રાખવામાં આવે છે. અને રિલાયન્સની આ પહેલ સાથે દેશભરમાં લાખો ખેલાડીઓ જોડાયેલા છે.
3.6 કરોડ લોકોની જિંદગીમાં પરિવર્તન માટે કાર્ય કર્યુ
દેશભરમાં જયારે કોરોના મહામારીને મથવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે રિલાયન્સ ફાઉંડેશન દ્વારા 'મિશન અન્ન સેવા' નામની પહેલને લોન્ચ કરવામાં આવી હતી જે બાદમાં ખુબ જ વ્યાપક બની હતી.
આ ઈનીશીએટીવ હેઠળ ફાઉન્દેશન દ્વારા દેશભરમાં લગભગ 3.6 કરોડ લોકો કે જેમાં દૈનિક કામગીરી કરતા મજુરો, કોરોના મુદ્દે કામગીરી કરતા આગવી હરોળના કર્મચારીઓ કે ગરીબ સીમાંત સમુદાયોને લગભગ ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. આ બાબતે તેમણે વધુમાં સંબોધનમાં જણાવ્યું હતું કે તેમણે ખુશી છે કે રિલાયન્સ ફાઉંન્દેશન દ્વારા ચલાવાયેલ આ મિશન અન્ન સેવાની ચળવળ દુનિયામાં કોઈ પણ કોર્પોરેટ સમૂહ દ્વારા ચલાવાયેલી સૌથી મોટી અન્ન વિતરણ યોજના છે.
કોરોના વેક્સીન બાબતે શું કહ્યું?
રિલાયન્સની AGMમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે દુનિયામાં જયારે પણ કોરોનાની વેક્સીન બજારમ આવશે ત્યારે તેને દેશમાં દરેક જરૂરતમંદ માણસ સુધી પહોંચાડવા માટે પણ રિલાયન્સ મદદ કરશે અંને આગળ પડતો ભાગ પણ ભજવશે. આ સિવાય તેમણે કહ્યું હતું કે, તેમને ખુશી છે કે ભારતમાં કોરોના સામેની લડતમાં રિલાયન્સ પૂર્ણ સહયોગ આપી રહી છે.
જેમાં તેમણે ફાઉન્દેશન દ્વારા BMCના સહયોગમાં બનાવાયેલી દેશની પહેલી સ્પેશીયલ COVID-19 હોસ્પીટલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે 100 બેડની ક્ષમતા વળી આ હોસ્પીટલનું નિર્માણ માત્ર 2 સપ્તાહમાંજ કરવામાં આવ્યું હતું. અને હાલમાં તેની કેપેસીટી વધારીને 250 બેડ સુધી લઈ જવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે. અને કહ્યું હતું કે દેશમાં દૈનિક 1 લાખથી વધુ PPE કીટ્સ અને N95 માસ્ક માટે રિલાયન્સે મેન્યુફેક્ચરિંગ ફેસેલીટીમાં કામ કર્યું છે.
રિલાયન્સ AGM 2020
રિલાયન્સના ઇતિહાસમાં પ્રથમ વાર તેની AGM ઓનલાઈન વિડીયો કોન્ફેરંસ દ્વારા યોજાઈ રહી છે. દેશમાં વકરેલા કોરોના વ્યાપના વ્યાપક ખતરાને જોતા આ પગલું ભરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણી દ્વારા આ સંમેલનમાં હજી એક દિવસ અગાઉ જ વિવિધ એનાઉન્સ્મેન્ટ કરવામાં આવી હતી. જેમાં રિલાયન્સના જીઓ ગ્લાસેસને લોન્ચ કરવામાં આવ્યા હતાં જે ગૂગલ ગ્લાસની સમક્ષ માનવામાં આવે છે. આ સિવાય જીઓ+ પ્લેત્ફોર્મ્સની પણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં 12 જેટલા OTT પ્લેટફોર્મ્સનું કન્ટેન્ટ એકી સાથે દર્શકોને ઉપલબ્ધ બનશે. આ સિવાય જીઓ પ્લેટફોર્મ્સમાં નવા અમુક સેક્ટરોને પણ સામેલ કરવામાં આવ્યા હતાં. જેમાં હેલ્થ ને ફાર્મા મુખ્ય છે. નોંધનીય છે કે રિલાયન્સ હાલમાં જ દેશની સૌથી મોટી માર્કેટ કેપ ધરાવતી કંપની બની છે. જેની નેટવેલ્યુ 12 લાખ કરોડને પર પહોંચી ગઈ છે. ખુદ મુકેશ અંબાણીની નેટવર્થ 2.84 લાખ કરોડથી વધીને 5.51 લાખ કરોડ જેટલી થઈ ગઈ હતી.
જે બાદ તેઓ વિશ્વના ટોપ 10 ધનિકોની યાદીમાં ૮માં સ્થાને આવી ગયા હતાં. જે વોરેન બફેટને પણ પાછળ મૂકી દીધા હતાં. રિલાયન્સની પેટ્રો કેમિકલ વિભાગમાં લગભગ 20 ટકા હિસ્સેદારી સાઉદીની અરામ્કો કંપનીને વેચવાની યોજના હતી. જે લોકડાઉન બાદ ક્રૂડની ડીમાંડ ઘટતા રિલાયન્સ માટે ખોટની પુરવાર થાય તેમ હતી. અને ઘોંચમાં પડી હતી. જે બાદ રિલાયન્સે તેના જીઓ પ્લેટફોર્મ્સ નો લગભગ 32 ટકા જેટલો હિસ્સો વેચીને 1 લાખ ૬૮ હજાર કરોડથી વધુ રકમનું ઇન્વેસ્ટમેંટ મેળવ્યું હતું.
જેનાથી રિલાયન્સઅ નેટ ડેટ ફ્રી એટલે કે પૂર્ણ દેવા મુક્ત કંપની બનવાના લક્ષ્યને કંપનીએ આ અગાઉની AGMમાં જાહેર કરેલી ડેડ લાઈન 31 માર્ચ 2020 પહેલા જ મેળવી લીધું હતું. અને ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પાસેથી રોકાણ મેળવનાર કંપની બની હતી. આ સિવાય દેશમાં પ્રથમ સ્વદેશી 5G સોલ્યુશન પણ કંપનીએ બનાવી લીધું હોવાની એનાઉન્સ્મેન્ટ પણ કરી હતી જે બાદ સરકારની અનુમતિ પછી જીઓ ભારતમાં 5gના સેમ્પલીંગ માટે સંપૂર્ણ તૈયાર હોવાની જાહેરાત થઈ હતી.